મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલમાં સૂર્ય નમસ્કાર-ફાયર સેફ્ટીનો કાર્યક્રમ યોજાયો
ટંકારાના હડાળા ગામે પાટીદાર સમાજના જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય માટે કળશ વિતરણનો કાર્યક્રમ યોજાયો
SHARE
ટંકારાના હડાળા ગામે પાટીદાર સમાજના જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય માટે કળશ વિતરણનો કાર્યક્રમ યોજાયો
પાટીદાર સમાજના જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય મળી રહે તે માટે કળશ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ કળશ યોજનાને લોકો તરફથી સારો પ્રસિદ્ધ પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ટંકારા તાલુકાના હડાળા ગામે કળશ પૂજન, કળશ યાત્રા અને કળશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં મહિલા સમિતિની બહેનો ઘાટોડીયા નીતાબેન ખોડુભાઈ, મોકાસણા દક્ષાબેન ભાવેશભાઈ, દેત્રોજા મીનાબેન હેમંતભાઈ, ગડારા ભગવતીબેન ભરતભાઈ, સાધરીયા ભાવિશાબેન હિરેનભાઈ તેમજ ગામના યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઘોડાસરા જ્યોત્સનાબેન અને રાજકોટિયા જયશ્રીબેને કળશ યોજના શા માટે તે અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી ટંકારા તાલુકાના ગામોમાં મા ઉમિયાના આશીર્વાદ સમો કળશ પહોંચે એવી હોંશ સાથે જવાબદારી નિભાવતા ટંકારા ઉમિયા સમિતિના બહેનો દ્વારા સમગ્ર આયોજન ગોઠવવામાં આવેલ છે કોરીંગા નીતાબેન, ઘોડાસરા જયોત્સનાબેન, બારેયા વનિતાબેન, બોડા કાજલબેન, બારૈયા હિનાબેન, અરૂણાબેન પનારા અને રાજકોટિયા જયશ્રીબેન આ કાર્યમાં સમયદાન આપી રહ્યાં છે જે પ્રસંશનીય બાબત છે.