વાંકાનેરના સાતનાલા પાસે ટ્રેન આડે પડતું મૂકનારા યુવાનના શરીરના કટકા થઈ જતાં મોત
SHARE
વાંકાનેરના સાતનાલા પાસે ટ્રેન આડે પડતું મૂકનારા યુવાનના શરીરના કટકા થઈ જતાં મોત
વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી દિગ્વિજયનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર સાત નાલા પાસે ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી તેના શરીરને બે કટકા થઈ જવાના કારણે તે યુવાનમી મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પિતા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી દિગ્વિજયનગરમાં રહેતા જગદીશભાઈ વશરામભાઈ વોરા જાતિ અનુ.જાતિ (૪૧)એ વાંકાનેર રાજકોટ રેલવે ટ્રેક ઉપર સાત નાલા પાસેથી પસાર થતી ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી કરીને તે યુવાનને ગંભીર થઈ હતી અને કમરના ભાગેથી શરીરના બે કટકા થઈ જવાના કારણે જગદીશભાઈ વોરાનું મૃત્યુ નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પિતા વશરામભાઈ મોહનભાઈ વોરા જાતે અનુ. જાતિ (૬૯) રહે પેડક સોસાયટી દિગ્વિજયનગર વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ નારણભાઈ સુખાભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે