વાંકાનેરના જેપુર ગામે ઘરે એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત
વાંકાનેરમાં કોઈ કારણોસર સગીરાએ ઘરમાં ટૂંપો ખાઈને જીવન ટૂંકાવ્યું
SHARE
વાંકાનેરમાં કોઈ કારણોસર સગીરાએ ઘરમાં ટૂંપો ખાઈને જીવન ટૂંકાવ્યું
વાંકાનેરના વીસીપરા સ્મશાન રોડ ઉપર રહેતા પરિવારમાં ૧૫ વર્ષથી સગીરાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પરિવારજન વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી હોય માહિતી મુજબ વાંકાનેર વીસીપરા શેરી નંબર-૩ માં રહેતા જીવતીબેન લક્ષ્મણભાઈ રોજાસરાએ વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, તેઓની પૌત્રી ભૂમિકાબેન જનકભાઈ રોજાસરા (૧૫) ઘરે હતી ત્યારે ઘરમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને તેને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ દ્વારા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે, સગીરાએ કયા કારણોસર સગીરાએ આપઘાત કરેલ છે તે દિશામાં હવે આગળની તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના વી.આર. પરમાર ચલાવી રહ્યા છે