ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી: માસા-માસીના ત્રાસથી કંટાળીને ઘર છોડીને નીકળી ગયેલ ૧૩ વર્ષની કિશોરીનું પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE













મોરબી: માસા-માસીના ત્રાસથી કંટાળીને ઘર છોડીને નીકળી ગયેલ ૧૩ વર્ષની કિશોરીનું પરિવાર સાથે કરાવ્યુ મિલન

૧૮૧ ટીમે ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું પરિવાર સાથે કરાવ્યું મિલન, માસા-માસીના ત્રાસથી કંટાળી કિશોરી ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ હતી.મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાર્યરત રહેતી અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ બની રહી છે.

૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોઇ જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે વાંકાનેર હાઈવે ઉપર એક કિશોરી છેલ્લા દસ કલાકથી આમ-તેમ આંટા ફેરા કરે છે તેણી કાંઈ પણ બોલતી નથી અને ખૂબ જ ગભરાયેલા છે તેથી પીડીત કિશોરીને ૧૮૧ ની ટીમની મદદ ની જરૂર છે.જેના પગલે ૧૮૧ ના કાઉન્સિલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ પ્રદિપભાઇ ઘટના સ્થળે કિશોરીની મદદ માટે પહોંચ્યા હતા.

૧૮૧ ટીમ દ્વારા કિશોરી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કિશોરી ખૂબ જ ગભરાયેલી હતી કિશોરીને સાંત્વના આપેલ અને મોટીવેટ કરેલ.કિશોરીનું કાઉન્સિલીગ કરતા તેણીએ જણાવેલ કે તેમના માતા-પિતા બંને મૃત્યુ પામ્યા અને હાલ તેઓ છેલ્લા બે મહિનાથી તેમના માસા-માસી સાથે એક કંપનીમાં રહેતી હતી.ત્યારબાદ કિશોરીએ જણાવેલ કે કામકાજ બાબતે તેમની માસી ખીજાતા હતા અને ઢોર માર મારતાં હતાં તેમજ ઘરની બહાર નીકળી જા તેવું કહેતા હતા અને અયોગ્ય વર્તન કરતા હતા અને તેમની માસી જમવા બાબતે રોજ ત્રાસ આપતા હતા.અને તેમના માસી તું મરી જા તેવું ખરાબ બોલતા હતા.જેથી કિશોરી કંટાળીને ઘર છોડીને કોઈને પણ કહ્યા વગર ચાલતા ચાલતા વાંકાનેર ચોકડીએ પહોંચી ગઈ હતી.ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા કિશોરીના પરિવારના સભ્યોનો કોન્ટેક્ટ કરેલ અને તેમના માસા-માસી સાથે વાતચીત કરેલ તેઓએ જણાવેલ કે દસ કલાકથી અમારી જાણ બહાર તેમની દિકરી કહ્યા વગર નીકળી ગયેલ.તેમણે ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેમની દિકરી મળેલ નહીં. ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા કિશોરીના માસા-માસીનું કાઉન્સિલિંગ કરાયું હતુ. તેમજ દિકરી સાથે અયોગ્ય વર્તન ન કરવા અને મારઝુડ ન કરવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી હતી.તેમજ કિશોરીનું ધ્યાન રાખવા અને તેણીને શિક્ષણ આપવા તેમના માસા-માસીને જણાવેલ અને તેઓ દ્વારા કિશોરીની પૂરેપૂરી સંભાળ લેવા ખાતરી આપી હતી.






Latest News