મોરબીમાં કેન્સરની બીમારીથી પતિનું મૃત્યુ થતાં તેના વિરહમાં પત્નીએ ન કરવાનું કર્યું
ટંકારાના વીરપર પાસે લેબર કવાર્ટરમાં અકળ કારણોસર પરણીતાએ અંતિમ પગલું ભર્યું
SHARE
ટંકારાના વીરપર પાસે લેબર કવાર્ટરમાં અકળ કારણોસર પરણીતાએ અંતિમ પગલું ભર્યું
ટંકારા તાલુકાના વીરપર પાસે આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા પરિવારમાં પરણીતાએ કોઈ કારણોસર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા બનાવની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર નજીક બાની વાડી પાસે આવેલ અરવિંદ આર્ક ઇલેક્ટ્રોનિક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રીંકુબેન રાયસીંગ કોચરા જાતે અનુ. જનજાતિ (૧૯) નામની પરણીતાએ લેબર ક્વાર્ટરમાં હતી ત્યારે ત્યાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેજને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ ટંકારાના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે અને મૃતક મહિલાનો લગ્ન ગાળો એક વર્ષનો હોય પોલીસ દ્વારા મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે









