માળીયા (મી)ના ગુલાબડી અગર વિસ્તારના અગરિયાઓ માટે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
મોરબી ખાતે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું
SHARE
મોરબી ખાતે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું
મોરબીમાં શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા સમસ્ત મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિ માટે મોરબીના શનાળા રોડે આવેલ ધનશ્રી હોસ્પીટલ ખાતે રવિવારે રક્તદાન તેમજ બ્લડ ગ્રુપ ચેક કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ રકતદાન કર્યું હતું. સાથો સાથ બ્લડ ગ્રુપ ચેક કરાવનારાઓ પોતાનુ બ્લડ ગ્રુપ ચેક કરાવ્યું હતુ આ તકે મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડબેંકના સ્ટાફે ઉત્તમ સેવાઓ પૂરી પાડી હતી અને ઉત્સાહભેર રકતદાન કરનારા જ્ઞાતિજનોનો ઉત્સાહ વધારવા સમસ્ત મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને શ્રી વ્યાસ પ્રગતિ મંડળ, મોરબી આયોજીત જ્ઞાતિ અને સમાજના હિતમાં આયોજીત આ કાર્યક્રમને પ્રશંસાના પુષ્પોથી બિરદાવ્યો હતો. અને જ્ઞાતિહિતમાં હોય તેવા કાર્યક્રમો કરતા રહેવાની પ્રેરણા સાથે હુફ પુરી પાડી હતી આ આયોજનને સફળ બનાવવા શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબીના ટ્રસ્ટીઓ, હોદેદારો તેમજ કાર્યકરોએ ખુબ જહેમત ઉઠાવી હતી.