મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના આલાપ રોડે આવેલ શિવ શક્તિ પાર્કમાંથી મંદિરે જવાનું કહીને નીકળેલા વૃદ્ધ ચાર મહિનાથી ગુમ


SHARE













મોરબીના આલાપ રોડે આવેલ શિવ શક્તિ પાર્કમાંથી મંદિરે જવાનું કહીને નીકળેલા વૃદ્ધ ચાર મહિનાથી ગુમ

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ તેઓ ઘરે પરત આવ્યા ન હતા જેથી તેમની શોધખોળ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી હતી જો કે, તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલા વૃદ્ધના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને ગુમ થયેલા વૃદ્ધને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ શિવ શક્તિ પાર્ક ઇસ્કોન પેલેસ પ્લેટ નં- ૩૦૨ માં રહેતા જયેશભાઈ પ્રાણજીવનભાઈ કગથરા જાતે પટેલ (૩૬)એ તેઓના પિતા પ્રાણજીવનભાઈ ગોવિંદભાઈ કગથરા જાતે પટેલ (૬૫) રહે. આલાપ રોડ શિવ શક્તિ પાર્ક આસોપાલવ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૬૦૧ વાળા ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ મોરબી  સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૨/૯/૨૩ ના સવારે નવેક વાગ્યાના અરસામાં તેઓના પિતા તેમના ઘરેથી જંગલેશ્વર મહાદેવ કોઠારીયા વાંકાનેર પાસે મંદિરે જાઉ છું તેવું કહીને નીકળ્યા હતા ત્યારબાદ તેઓ ઘરે પરત આવેલ નથી જેથી કરીને પરિવારજનોને ત્યાં અને સગા સબંધીઓને ત્યાં ઘર મળે તે લોકો તેની શોધખોળ કરી રહ્યા હતા જો કે, હજુ સુધી તેમનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી જયેશભાઈ કગથરા દ્વારા તેઓના પિતા પ્રાણજીવનભાઈ કગથરા ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુમ થયેલા વૃદ્ધને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે વધુમાં જયેશભાઈએ પોલીસને જણાવ્યુ છે કે, તેઓના પિતાને છેલ્લા એકાદ વર્ષથી બ્લડ કેન્સરની બીમારી હતી અને તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે સફેદ શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલ હતું અને તેમની ઊંચાઈ આશરે સાડા પાંચ ફૂટ જેટલી છે જેથી કરીને ગુમ થયેલા વૃદ્ધને શોધવા માટે હાલમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News