ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ઉત્તરાયણ ઉપર સાવધાની રાખીએ તો અકસ્માત કે જાનહાની નિવારી શકાય: અધિકારી


SHARE













મોરબી જીલ્લામાં ઉત્તરાયણ ઉપર સાવધાની રાખીએ તો અકસ્માત કે જાનહાની નિવારી શકાય: અધિકારી

આગામી ૧૪ જાન્યુઆરીના રોજ આપણે સૌ ઉત્તરાયણ પર્વની રંગે ચંગે ઉજવણી કરીશું ત્યારે આ તહેવાર દરમિયાન કોઈ અકસ્માત કે જાનહાની ન થાય તે માટે આપણે થોડી સાવધાની રાખવી પણ એટેલી જ જરૂરી છે.

આપણે ગુજરાતીઓ ઉત્સવ પ્રિય લોકો છીએ, દરેક મહિનામાં કોઈ ને કોઈ તહેવાર તો આપણે ઉજવતા જ હશું. ત્યારે આવનારા ઉત્તરાયણના તહેવારને પણ આપણે અનેરા ઉત્સાહ સાથે ઉજવીએ બસ થોડી સાવધાની જરૂરથી રાખીએ. પતંગ ઉડાડતી વખતે પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખવી જરૂરી છે. માણસો, પશુઓ તથા વાહનોથી સાવચેત રહેવું અને પતંગ ચગાવવાનાં ધાબાની ઉંચાઈ પુરતી છે કે નહિ તેની ખાતરી કરવી. પતંગ ચગાવતી સમયે માથા ઉપરથી પસાર થતા વીજળીનાં તારથી દુર રહેવું. શક્ય હોય તો ઘાબાની અગાશી કરતા ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરવું. પતંગ ચગાવતા બાળકોની તેમના વાલીઓ દેખરેખ રાખવી જોઇએ. આ ઉત્તરાયણના રોજ ત્રણ યાદ રાખો.... સમજદારી, સદભાવ અને સાવચેતી એટલે અકસ્માત નિવારી શકાશે.

સિન્થેટીક વસ્તુઓ અને પ્લાસ્ટીકનાં ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી કે જે ચાઇનીઝ દોરી તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરવો, આ દોરીથી પક્ષીઓ તથા માણસો ઘાયલ થાય છે અને આ ઘા ની અસર તહેવાર બાદ પણ લાંબા સમય માટે રહે છે જેથી આ દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ. મહેરબાની કરીને વીજળીના તારમાં ફસાયેલ અને સબ સ્ટેશનમાં પડેલ પતંગને પાછો મેળવવા મથામણ કરીને ખતરાને ન નોતરો. ઉતરાયણના દિવસે લૂઝ કપડા ન પહેરવા, માથે ટોપી પહેરવી તથા મકાનોના ગીચ વિસ્તારમાં કે ઢાળવાળી છત પરથી પતંગ ચગાવવી નહિ. થોડી તકેદારી અને સાવધાનીથી મોટી દુર્ઘટના કે અકસ્માત નિવારી શકાય છે. છતાંય કોઈપણ દુર્ઘટના કે આપત્તિ ઉભી થાય તો તુરંત જ ઈમરજન્સી નંબર ૧૦૮ ઉપર અને કોઈ પશુ/પંખીને ઈજા પહોંચે તો ૧૯૬૨ ઉપર સંપર્ક કરવો.






Latest News