વડોદરાની ઘટનામાં ભોગ બનેલા પરિવારની ઝડપી ન્યાય માટે મોરબી બાર એસો.ની માંગ
SHARE
વડોદરાની ઘટનામાં ભોગ બનેલા પરિવારની ઝડપી ન્યાય માટે મોરબી બાર એસો.ની માંગ
વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં બોટ ઊંધી પડતાં તેમાં બેઠલા ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકોમાંથી ૧૫ જેટલા લોકોના મૃત્યુ થયેલ છે ત્યારે વડોદરાની ઘટનામાં ભોગ બનેલા પરિવારની ઝડપી ન્યાય માટે મોરબી બાર એસો.ની માંગ કરેલ છે
મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ આર. અગેચાણીયા તથા મોરબી બાર એસો.ના વકીલો દ્વારા વડોદરા શહેરના હરણી તળાવ ખાતે બનેલ દુર્ઘટના માટે ખુબ જ દુઃખની લાગણી વ્યક્ત કરેલ છે અને મોરબી બાર એસો. એ જવાબદાર વ્યકિત સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ભોગ બનનાર બાળકોના વાલીઓને ઝડપી ન્યાય મળે તેવી માંગણી કરેલ છે વધુમાં જણાવ્યુ છે કે, ગંભીર બેદરકારીથી મોટી દુઃખદ દુર્ઘટના બની અને ભૂલકાઓ સહિતનાઓના મોત થયેલ છે