મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ હળવદના અજીતગઢ ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેર નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં ઘરમાંથી 22 બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ, 1.18 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 29,000 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને અનુરોધ


SHARE













સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને અનુરોધ

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરી મારફત અમલી સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનામાં મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યના મૃત્યુના પ્રસંગે મૃતકના પાર્થિવદેહની અંત્યેષ્ટિ માટે/મરણોત્તર ક્રિયા માટે અર્થાત કફન-કાઠિના ખર્ચને પહોંચી વળવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને મળવાપાત્ર છે. જેમાં આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૬,૦૦,૦૦૦/‌- તથા શહેરી વિસ્તાર માટે રૂ. ૮,૦૦,૦૦૦/- રાખવામાં આવેલ છે. આ યોજનાની અરજી https://esamajkalyan.gujarat.gov.in પર (૧) મરણનું પ્રમાણપત્ર (૨) જાતિનુ પ્રમાણપત્ર (૩) આવકનો દાખલો (૪) અરજદારનુ આધારકાર્ડ (૫) બેંક પાસબુકની નકલ સહિતના આધારો સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમ નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ, મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.








Latest News