ટંકારા તાલુકામાં દારૂની જુદી જુદી બે રેડ: ત્રણ શખ્સ ૪૧ બોટલ દારૂ સાથે પકડાયા, એકની શોધખોળ
મોરબીની માણેકવાડા શાળામાં દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને દાન ભેટ અર્પણ કરાયા
SHARE
મોરબીની માણેકવાડા શાળામાં દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને દાન ભેટ અર્પણ કરાયા
મોરબી પંથકના લોકો શાળાને વિદ્યાનું મંદિર,વિદ્યાનું ધામ માને છે અને શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને બાલ દેવો ભવ:ની ભાવનાથી જોતા હોય છે.અને બાળકો માટે,શાળા માટે કંઈકને કંઈક વસ્તુઓ ભેટ કરીને પોત પોતાની ભાવના વ્યક્ત કરતા હોય છે ત્યારે મહાદેવબાપા ચનિયારા હાલ મોરબી દ્વારા માણેકવાડા શાળામાં અભ્યાસ કરતા ૧૫૦ જેટલા બાળકોને શિયાળાની ઠંડીમાં પગની રક્ષા માટે બુટ અને મોજા વિતરણ કરવામાં આવ્યા તેમજ આ પ્રસંગે જીગ્નેશભાઈ છત્રોલા રોકેક્ષ લેમીનેટ કંપની દ્વારા દરેક બાળકોને લખવામાં ઉપયોગી પેડ અર્પણ કરી શાળાના ૧૩૦ માં સ્થાપના દિનની શુભેચ્છા પાઠવી હતી. આ તકે શાળા પરિવાર દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.