મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકા અનુ.જાતી ખેત સમુદાય મંડળીમાં ગેરકાયદે નામ ઉમેરનારાઓની સામે કડક પગલા લેવાની કલેક્ટરની ખાતરી


SHARE













માળીયા (મી) તાલુકા અનુ.જાતી ખેત સમુદાય મંડળીમાં ગેરકાયદે નામ ઉમેરનારાઓની સામે કડક પગલા લેવાની કલેક્ટરની ખાતરી

મોરબી જીલ્લામા આવેલ માળીયા મિૅંયાણા તાલુકા અનુ.જાતી ખેત સમુદાય મંડળીમા મંડળીના પ્રમુખ દ્વારા મંડળીના જુના સભ્યોના નામો રદ કરી નાંખી તાલુકા બહારના તેના મળતીયાઓના નામ દાખલ કરીને ગેરકાયદે જમીન ફાળવવામાં આવેલ હતી. જે બાબતે છેલ્લા ૩ વર્ષથી મંડળીના સભ્યો લડત ચલાવી રહયા હતા. છેલ્લા ૨૬ દિવસથી મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે ઉપવાશ આંદોલન ચલાવી રહયા હતા.

જેમા મોરબી જીલ્લાની મુલાકાતે આવેલ પ્રભારી સચિવ ડો.મનિષા ચંદ્રા દ્વારા કલેકટર જી.ટી.પંડયા, જીલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા, અધિક કલેકટર ખાચર, મામલતદાર મહેતા અને દલીત સમાજના આગેવાનો રાજેશભાઇ ચૌહાણ, મુળજીબાપા, કિશોરભાઇની હાજરીમાં શાંતીથી સાંભળવામાં આવ્યા હતા અને જવાબદારોની સામે કડક પગલા ભરવા અને મંડળીના સભ્યોને પુન: દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ડો.મનિષા ચંદ્રા દ્વારા ખાતરી આપવામાં આવતા કલેકટર પંડયાના હસ્તે ઉપવાસીઓના પારણા કરાવવામાં આવ્યા હતા.સાથોસાથ મોરબી જીલ્લા દલીત સમાજના વિવિધ પ્રશ્નનો બાબતે પણ પ્રભારી સચિવ સાથે ચર્ચા કરીને હકારાત્મક ઉકેલ લાવી દલીત સમાજના પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી.






Latest News