ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસમાં વિકટીમ એસો.એ કરેલ અરજીનો 30 મીએ ચુકાદો


SHARE













મોરબી ઝૂલતા પુલ કેસમાં વિકટીમ એસો.એ કરેલ અરજીનો 30 મીએ ચુકાદો

મોરબીની કોર્ટમાં ઝુલતા પુલ કેસમાં અરજદારોને સાંભળવા, ૩૦૨ ની કલમનો ઉમેરો તથા કંપનીને આરોપી બનાવવા માટે થઈને અરજી કરવામાં આવેલ છે જે અરજી બાબતે અગાઉ થયેલ દલીલ બાદ આજે ચુકાદાની રાહ જોઇ રહી હતી જો કે, તે અરજીના કામે આવતી ૩૦ મી તારીખની મુદત પડી છે જેથી આ કેસમાં ૩૦૨ ની કલમનો ઉમેરો અને કંપનીને આરોપી બનાવશે કે કેમ તેના ઉપર સહુની નજર મંડાયેલ છે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે તેમાં કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે, કંપનીને આરોપી બનાવવામાં આવે તેમજ અરજદારોને સાંભળવામાં આવે તેવી વિકટીમ એસો.ના સભ્ય દ્વારા મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરવામાં આવી છે જે અરજીની સુનાવણી અગાઉ કરવામાં આવેલ છે જો કે, આજે તેની તારીખ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હતી અને ત્યારે વિકટીમ એસો.ના સભ્ય  તેના વકીલ સહિતના હાજર રહ્યા હતા જો કે, આજે આ કેસમાં ચુકાદો આપવામાં આવેલ નથી આગામી તા ૩૦ મી ની મુદત પડી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને તેના માટે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ ચાલી રહી છે દરમ્યાન મૃતકો અને ઇજાગ્રસ્તોને જે વળતર આપવા માટેનું કહેવામા આવ્યું હતું જેથી ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ દ્વારા કોર્ટમાં રકમ જમા કરાવી દેવામાં આવી છે જો કે, મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા આ કેસમાં કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે, કંપનીને આરોપી બનાવવામાં આવે તેમજ અરજદારોને સાંભળવામાં આવે તેવી અરજી કરવામાં આવી છે તેવું વિકટીમ એસો.ના વકીલ ઉત્કર્ષભાઈ દવે દ્વારા જણાવવામાં આવ્યું છે અને અરજદારોએ કરેલ અરજીના ચુકાદા ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે






Latest News