મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડી પાસે મફતીયા પરામાં ઘર ખાલી કરવા માટે યુવાનને તેના જ ત્રણ ભાઈઓએ માર માર્યો


SHARE







વાંકાનેરના રાતીદેવડી પાસે મફતીયા પરામાં ઘર ખાલી કરવા માટે યુવાનને તેના જ ત્રણ ભાઈઓએ માર માર્યો

વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ખાતે મફતીયા પરા વિસ્તારમાં રહેતા યુવાનને તેના ત્રણ ભાઈઓ દ્વારા મકાન ખાલી કરવા માટે થઈને ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાતીદેવડીમાં મફતિયાપરા વિસ્તારમાં રહેતા જયેશભાઈ પુંજાભાઈ વિકાણી (૩૦) નામના યુવાનને તેના ત્રણ સગા ભાઈ અશોકભાઈ, દીપકભાઈ અને સાગરભાઇએ ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા જયેશભાઈને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ સાથે લઈ જવામાં આવે છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે વધુમાં ઇજા પામેલા જયેશભાઈ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, તેઓ તેના પત્ની સહિતના પરિવારજન સાથે ત્યાં રાતી દેવડી ગામ પાસે મફતીયપરા વિસ્તારમાં રહે છે અને ત્યાંથી તેઓનું ઘર ખાલી કરવા માટે તેના સગા ભાઈ અશોકભાઈ, દીપકભાઈ અને સાગરભાઇએ તેઓની સાથે ઝઘડો કર્યો હતો અને તેને માર માર્યો હતો વધુમાં માહિતી આપતા તેને જણાવ્યું હતું કે, અગાઉ પણ તેના ભાઈઓ દ્વારા તેની સાથે મકાન ખાલી કરવા બાબતે બોલાચાલી અને માથાકૂટ કરવામાં આવી હતી જે બાબતે જેતે સમયે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને વધુ એક વખત મકાન ખાલી કરવા માટે તેને હાલમાં તેને માર મારવામાં આવ્યો છે

બાળકી સારવારમાં

મોરબી નજીકના મકાનસર ગામે રહેતા રવિભાઈ દેવીપુજકની પાંચ વર્ષની દીકરી જ્યોતિબેન બપોરના સમયે ગામના તળાવ પાસે પાણીમાં પડી ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News