ટંકારા સિવિલ કોર્ટમાં ચાલી ગયેલા કેસમાં અમદાવાદના વેપારીને વ્યાજ-ખર્ચ સાથે રકમ ચૂકવવાનો આદેશ
મોરબી જિલ્લા ભારતીય માનવાધિકાર એસો.ના હોદ્દેદારોની મિટિંગ મળી
SHARE
મોરબી જિલ્લા ભારતીય માનવાધિકાર એસો.ના હોદ્દેદારોની મિટિંગ મળી
મોરબી સામાકાંઠે આવેલ ભૂરા હોટેલ ખાતે ભારતીય માનવાધિકાર એસો. મોરબી જિલ્લાના હોદ્દેદારોની પ્રથમ મીટીંગ મળી હતી આ મિટિંગમાં માનવાધિકાર વિશે ચર્ચા કરવામાં આવી હતી મોરબી જિલ્લામાં તમામ તાલુકા અને શહેર સમિતિની રચના કરી અને આખા જિલ્લામાં લોકોને જે અધિકારો છે આર્થિક, સામાજિક, સમાનતા, સાંસ્કૃતિક, નાગરિક અને રાજકીય અધિકારો વિશે લોક જાગૃતિના કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ કચોટએ જણાવ્યું હતું કે, માનવ અધિકારના રક્ષણ માટે હવે મોરબી જિલ્લામાં માનવ અધિકારોનું ક્યાંય પણ ખંડન થતું હશે કે કોઈપણ નાગરિકને અન્યાય થતો જાણવામાં આવશે તો તરત જ ભારતીય માનવાધિકાર એસો. મોરબી જિલ્લા ટીમ દ્વારા ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ મિટિંગમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જે.કે. છૈયા, જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ કચોટ, જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, ગીરીશભાઈ પેથાપરા, ભરતભાઈ ચાવડા, ચંદ્રકાંતભાઈ વિરમગામા, વિજયભાઈ ડાંગર, વિજયકુમાર બોપલિયા, વિરજીભાઈ ચાવડા, દિલીપભાઈ ડાંગર, હર્ષભાઈ ફુલતરીયા, ભાવિનભાઈ ફેફર, મનીષભાઈ હોથી, અશોકભાઈ રૂપાલા, શેખ ફકીર અસલમ, ગોપાલભાઈ સીતાપરા સહિતના હાજર રહ્યા હતા









