મોરબી જિલ્લામાં હથિયારબંધી અને ચાર લોકોને ભેગા થવા પર પ્રતિબંધ
મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ સરકાર દ્વારા લોકપાલની નિયુક્તિ કરાઈ
SHARE
મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ સરકાર દ્વારા લોકપાલની નિયુક્તિ કરાઈ
મોરબી જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજનામાં લોકપાલ તરીકે કેશવજીભાઇ અઘારાની નિયુક્તિ સરકાર દ્વારા કરવામાં આવી છે જેથી હવે મોરબી જીલ્લામાં મનરેગા યોજનાની કામગીરીમાં થતી ગેરરીતિઓ, ગુણવત્તા, વેતન, બેરોજગારી ભથ્થુ, કામ સંબંધિત ફરિયાદ લોકપાલને કરી શકાશે
કેશવજીભાઇ અઘારા મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મનરેગા યોજનાની કામગીરીમાં થતી ગેરરીતિઓ, ગુણવત્તા સંબંધિત ફરિયાદ, વેતન, બેરોજગારી ભથ્થુ, કામ સંબંધિત ફરિયાદ મેળવી શકશે અને મોરબી જિલ્લાની જનતા તેઓને મનરેગા સંબંધિત ફરિયાદ મોબાઈલ ઉપર, ઇ-મેઈલ દ્વારા કે લેખિતમાં કરી શકશે. અને કેશવજીભાઇ અઘારાનો મોબાઈલ નંબર ૯૫૧૨૦૦૧૬૧૦ છે અને તેમનો ઈમેઈલ ombudspersonmorbi@gmail.com છે. તેઓની કચેરીનું સરનામું રૂમ નં. ૧૪૮, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા પંચાયત ભવન, સો ઓરડી, મોરબી છે.
સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા. ૧૬/૦૨/૨૦૨૪ ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.