માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કલેકટરના હુકમની પાંચ વર્ષ પછી પણ સ્ટાફે નહીં કરી અમલવારી !


SHARE







મોરબીમાં કલેકટરના હુકમની પાંચ વર્ષ પછી પણ સ્ટાફે નહીં કરી અમલવારી !

એક બાજુ માનવી થાય વિકાસની વાતો કરવામાં આવે છે અને બીજી બાજુ લોકોને આજની તારીખે પણ ગુજરાતમાં પ્રાથમિક સુવિધાઓ માટે હેરાન થવું પડે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાના જાંબુડિયા ગામ પાસે આવેલ મચ્છોમા નગરમાં રહેતા લોકોને પાણી, શૌચાલય, સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તા વિગેરે જેવી કોઈ સુવિધા મળી રહી નથી અને સૌથી મોટી વાત તો એ  છે કે મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા વર્ષ ૨૦૧૮ માં ત્યાં રહેતા લોકોના મકાન કાયદેસર કરવા હુકમ કરેલ છે તેની અમલવારી આજ દિવસ સુધી કરવામાં આવેલ નથી ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકો કલેક્ટરના હુકમની વહેલી તકે અમલવારી કરવામાં આવે તેના માટે દર દર ભટકી રહ્યા છે

મોરબીના જાંબુડિયા નજીક આવેલ મચ્છોમાં નગરમાં રહેતા લોકોએ હાલમાં જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને તેની નકલ ધારાસભ્યોને પણ આપવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, વર્ષોથી તેઓ ત્યાં રહે છે અને ત્યાં લાઈટ, પાણી, રોડ રસ્તા જેવી કોઈ પ્રાથમિક સુવિધા નથી અને ત્યાં રહેતા લોકોનો પેસકાદમીનો કેસ અગાઉ વર્ષ ૨૦૧૮ માં ચાલી ગયેલ છે ત્યારે મચ્છોમાં નગર સેવા સમિતિના નેજા હેઠળ કાનૂની લડત ચલાવવામાં આવી હતી અને ત્યારે કલેકટરે ત્યાં રહેતા લોકોના મકાનોને રેગ્યુલાઈઝડ કરવાનો હુકમ કર્યો હતો. જો કે કલેક્ટરના આદેશને પાંચ વર્ષ થઈ ગયા છે તો પણ તેની અમલવારી કરવામાં આવેલ નથી જેથી વર્ષ ૨૦૧૮ માં થયેલ હુકમની અમલવારી કરવામાં આવે તેવી માંગ કરી છે વધુમાં લોકોએ જણાવ્યુ છે કે, આ આ વિસ્તારમાં હાલમાં ૨૫૦૦ જેટલા લોકો રહે છે અને મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલવી રહ્યા છે ત્યારે આ લોકોને ઘર અને સુવિધા મળે તેના માટે કલેકટરના આદેશ મુજબની તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News