વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે રામધામના શીલા-કળશ પૂજનનો પ્રારંભ


SHARE













મોરબીના જલારામ મંદિરે રામધામના શીલા-કળશ પૂજનનો પ્રારંભ

મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા પવિત્ર શ્રી રામધામના શીલા પૂજન તેમજ કળશ પૂજન અંગે સર્વે રઘુવંશીઓને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે અને બુધવારે બપોરે ૪ વાગ્યાથી મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે સમસ્ત રઘુવંશીઓ માટે પવિત્ર શ્રી રામધામનુ શીલા તેમજ કળશ પૂજન શરૂ કરવામાં આવ્યું છે અને બે દિવસ સુધી ત્યાં શીલા તેમજ કળશ પૂજન કરી શકશે

મોરબીના દરેક રઘુવંશી પરિવારોને મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાલીડા મુકામે સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામનું નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે આગામી તા.૧૬-૨ થી ૧૯-૨ દરમિયાન શ્રી રામધામ ખાતે ૧૦૮ કુંડી શ્રી રામ યજ્ઞ, ખાત મુહૂર્ત તેમજ શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીની ટેકના પારણા સહીતના કાર્યક્રમો યોજાશે. તે અંતર્ગત મોરબીનો સમસ્ત લોહાણા સમાજ શ્રી રામધામ ના નિર્માણમાં પૂણ્યનું ભાથુ બાંધી શકે તે હેતુસર મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૮-૨-૨૦૨૪ ગુરુવાર બપોરે ૪ કલાક થી પવિત્ર શ્રી રામધામની શીલા તથા કળશ પૂજનના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજન કાર્યક્રમ શનીવાર સુધી યોજાશે. શહેરમાં વસતા દરેક રઘુવંશી પરિવારે પોતાના અનુકુળ સમયે શ્રી જલારામ મંદિર ખાતે આવીને શીલા તેમજ કળશનું પૂજન કરી શકે છે જેથી મોરબીમાં રહેતા રઘુવંશી પરિવારોને તેનો લાભ લેવા માટે લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીનભાઈ રાચ્છ, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ તેમજ કન્વીનર નિર્મિત કક્કડે જણાવ્યુ છે






Latest News