મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે રામધામના શીલા-કળશ પૂજનનો પ્રારંભ


SHARE













મોરબીના જલારામ મંદિરે રામધામના શીલા-કળશ પૂજનનો પ્રારંભ

મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા પવિત્ર શ્રી રામધામના શીલા પૂજન તેમજ કળશ પૂજન અંગે સર્વે રઘુવંશીઓને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે અને બુધવારે બપોરે ૪ વાગ્યાથી મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે સમસ્ત રઘુવંશીઓ માટે પવિત્ર શ્રી રામધામનુ શીલા તેમજ કળશ પૂજન શરૂ કરવામાં આવ્યું છે અને બે દિવસ સુધી ત્યાં શીલા તેમજ કળશ પૂજન કરી શકશે

મોરબીના દરેક રઘુવંશી પરિવારોને મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાલીડા મુકામે સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામનું નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે આગામી તા.૧૬-૨ થી ૧૯-૨ દરમિયાન શ્રી રામધામ ખાતે ૧૦૮ કુંડી શ્રી રામ યજ્ઞ, ખાત મુહૂર્ત તેમજ શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીની ટેકના પારણા સહીતના કાર્યક્રમો યોજાશે. તે અંતર્ગત મોરબીનો સમસ્ત લોહાણા સમાજ શ્રી રામધામ ના નિર્માણમાં પૂણ્યનું ભાથુ બાંધી શકે તે હેતુસર મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૮-૨-૨૦૨૪ ગુરુવાર બપોરે ૪ કલાક થી પવિત્ર શ્રી રામધામની શીલા તથા કળશ પૂજનના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજન કાર્યક્રમ શનીવાર સુધી યોજાશે. શહેરમાં વસતા દરેક રઘુવંશી પરિવારે પોતાના અનુકુળ સમયે શ્રી જલારામ મંદિર ખાતે આવીને શીલા તેમજ કળશનું પૂજન કરી શકે છે જેથી મોરબીમાં રહેતા રઘુવંશી પરિવારોને તેનો લાભ લેવા માટે લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીનભાઈ રાચ્છ, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ તેમજ કન્વીનર નિર્મિત કક્કડે જણાવ્યુ છે






Latest News