મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી ઝૂલતા પુલ કેસમાં ઓરેવાના મેનેજર સહિત વધુ બે આરોપીના જામીન મંજુર


SHARE













મોરબીના ચકચારી ઝૂલતા પુલ કેસમાં ઓરેવાના મેનેજર સહિત વધુ બે આરોપીના જામીન મંજુર

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેની ફરિયાદ આધારે પકડાયેલા આરોપીમાંથી વધુ બે આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર કરવામાં આવેલ છે જેમાં હાલમાં ઓરેવા ગ્રુપના મેનેજર અને કોન્ટ્રાકટરને હાઇકોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે

મોરબીમાં ૩૦/૧૦/૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ લોકોના મોત થયા હતા જેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ ઉપરાંત મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ, મુકેશ દલસિંગ ચૌહાણ, મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર આમ કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં છ આરોપીઓને અગાઉ હાઇકોર્ટમાંથી જામીન આપવામાં આવેલ છે અને ત્યાર બાદ ઓરેવા ગ્રુપના મેનેજર દીપકભાઈ પારેખ અને કોન્ટ્રાકટર પ્રકાશભાઈ પરમારે હાઈકોર્ટમાંથી જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી બાદ હાઈકોર્ટે બંને આરોપીના જામીન મંજુર કર્યા છે જેથી આ ગુનામાં હાલમાં ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ અને કોન્ટ્રાકટર દેવાંગ પરમાર મોરબીની જેલમાં છે






Latest News