મોરબીમાં વર્ષ ૨૦૧૨ માં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
મોરબીના ચકચારી ઝૂલતા પુલ કેસમાં ઓરેવાના મેનેજર સહિત વધુ બે આરોપીના જામીન મંજુર
SHARE
મોરબીના ચકચારી ઝૂલતા પુલ કેસમાં ઓરેવાના મેનેજર સહિત વધુ બે આરોપીના જામીન મંજુર
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેની ફરિયાદ આધારે પકડાયેલા આરોપીમાંથી વધુ બે આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર કરવામાં આવેલ છે જેમાં હાલમાં ઓરેવા ગ્રુપના મેનેજર અને કોન્ટ્રાકટરને હાઇકોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે
મોરબીમાં ૩૦/૧૦/૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ લોકોના મોત થયા હતા જેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ ઉપરાંત મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ, મુકેશ દલસિંગ ચૌહાણ, મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર આમ કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં છ આરોપીઓને અગાઉ હાઇકોર્ટમાંથી જામીન આપવામાં આવેલ છે અને ત્યાર બાદ ઓરેવા ગ્રુપના મેનેજર દીપકભાઈ પારેખ અને કોન્ટ્રાકટર પ્રકાશભાઈ પરમારે હાઈકોર્ટમાંથી જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી બાદ હાઈકોર્ટે બંને આરોપીના જામીન મંજુર કર્યા છે જેથી આ ગુનામાં હાલમાં ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ અને કોન્ટ્રાકટર દેવાંગ પરમાર મોરબીની જેલમાં છે