મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી ઝૂલતા પુલ કેસમાં ઓરેવાના મેનેજર સહિત વધુ બે આરોપીના જામીન મંજુર


SHARE













મોરબીના ચકચારી ઝૂલતા પુલ કેસમાં ઓરેવાના મેનેજર સહિત વધુ બે આરોપીના જામીન મંજુર

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેની ફરિયાદ આધારે પકડાયેલા આરોપીમાંથી વધુ બે આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર કરવામાં આવેલ છે જેમાં હાલમાં ઓરેવા ગ્રુપના મેનેજર અને કોન્ટ્રાકટરને હાઇકોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે

મોરબીમાં ૩૦/૧૦/૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ લોકોના મોત થયા હતા જેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ ઉપરાંત મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ, મુકેશ દલસિંગ ચૌહાણ, મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર આમ કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં છ આરોપીઓને અગાઉ હાઇકોર્ટમાંથી જામીન આપવામાં આવેલ છે અને ત્યાર બાદ ઓરેવા ગ્રુપના મેનેજર દીપકભાઈ પારેખ અને કોન્ટ્રાકટર પ્રકાશભાઈ પરમારે હાઈકોર્ટમાંથી જામીન માટે અરજી કરી હતી જેની સુનાવણી બાદ હાઈકોર્ટે બંને આરોપીના જામીન મંજુર કર્યા છે જેથી આ ગુનામાં હાલમાં ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ અને કોન્ટ્રાકટર દેવાંગ પરમાર મોરબીની જેલમાં છે






Latest News