મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ
Breaking news
Morbi Today

જ્ઞાન જ્યોતિ પર્વ-આર્ય વીર દળ દિલ્હીની જ્ઞાન જ્યોતિ મશાલ બાઇક યાત્રા ટંકારા પહોંચી


SHARE







જ્ઞાન જ્યોતિ પર્વ-આર્ય વીર દળ દિલ્હીની જ્ઞાન જ્યોતિ મશાલ બાઇક યાત્રા ટંકારા પહોંચી

આર્ય વીર દળ દિલ્હી પ્રદેશ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતિ-જ્ઞાન જ્યોતિ પર્વ નિમિત્તે એક વિશાળ જ્ઞાન જ્યોતિ મશાલ મોટરસાઈકલ યાત્રા ૬ ફેબ્રુઆરીના રોજ દિલ્હીથી આયોજન કરવામાં આવ્યું હતું અને તા ૯ ના રોજ બપોરે ૩ વાગ્યે આ યાત્રા ટંકારા પહોંચી હતી. ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, આર્ય સમાજના રાષ્ટ્રીય પ્રવક્તા વિનય આર્ય દ્વારા ઉત્સાહી બાઇકર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ યાત્રાની મશાલ એ જ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગટાવી હતી આ ભવ્ય યાત્રા કાર્યક્રમમાં આર્ય સમાજની યુવા વિંગ આર્ય વીર દળ, યુનિવર્સલ આર્ય વીર દળ અને દિલ્હી આર્ય પ્રતિનિધિ સભા અને આર્ય સાહિત્ય પ્રચાર ટ્રસ્ટના પ્રાંતીય એકમના સહયોગથી ૨૦૦ થી વધુ આર્ય વીર મોટરસાઈકલ, કાર, પ્રચાર વાહનો, ટેમ્પો અને અન્ય વાહનો દ્વારા "જ્ઞાન જ્યોતિ મશાલ યાત્રા" ના સ્વરૂપમાં દિલ્હી થી ટંકારા, ગુજરાત પહોંચી હતી






Latest News