ટંકારા નજીક વાડી વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા બાદ મારામારી: ઇજા પામેલા ત્રણ વ્યક્તિ સારવારમાં
મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં કાલે વેલેન્ટાઇન ડે નહીં માતા-પિતા પૂજન દિવસ ઉજવાશે
SHARE
મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં કાલે વેલેન્ટાઇન ડે નહીં માતા-પિતા પૂજન દિવસ ઉજવાશે
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં માતા-પિતા પૂજન દિવસ અને સૂર્ય નમસ્કાર દિવસની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતી કાલે તા ૧૪ ના રોજ વેલેન્ટાઇન ડે નહીં પરંતુ માતા પિતા પૂજન દિવસ કરશે તેની સાથે જ મહા સુદ પાંચમ વસંત પંચમી હોવાથી સરસ્વતી પૂજન કરવામાં આવશે તેવી જ રીતે તા ૧૬ ના રોજ સૂર્ય નમસ્કાર દિવસની ઉજવણી કરાશે તેની સાથે મહા સુદ સાતમ, રથ સપ્તમી-આરોગ્ય સપ્તમી, માં નર્મદા જયંતીની તે દિવસે ઉજવણી કરાશે
કાલે ૧૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વમાં અલગ અલગ જગ્યાએ જ્યારે વેલેન્ટાઈન ડે ઉજવવાની પરંપરા છે ત્યારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં આ દિવસને માતા પિતા પૂજન દિવસ તરીકે ઉજવશે. આ જ દિવસે મહાસુદ પાંચમના રોજ વસંત પંચમી પણ હોય સરસ્વતી મા નુ પૂજન પણ કરવામાં આવશે. અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાનું પૂજન કરશે. તેમજ તા ૧૬ ફેબ્રુઆરીએ મહાસુદ સાતમ એટલે કે રથ સપ્તમી આરોગ્ય સપ્તમી ના દિવસે સૂર્ય નમસ્કાર દિવસ ઉજવવાની પરંપરા છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર કરશે