માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન

મોરબીમાં આવેલ સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ દ્વારા આગામી તા. ૨૧/૨ ને બુધવારે સવારે ૯ થી ૧૨ દરમ્યાન ગૌશાળા પ્રાથમિક શાળા લીલાપર રોડ મોરબી ખાતે વિનામૂલ્યે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વૈદ ખ્યાતિબેન ઠકરાર સેવા આપશે.

આ કેમ્પમાં યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન સારવાર, આયુર્વેદિક ઔષધીઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવાનું વિતરણ કરવામાં આવશે. અને ખાસ કરીને હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીની શરદી, સાંધાનો દુખાવો, ખરજવું, ધાધર જેવા ચામડીના રોગ, સ્ત્રી રોગ, બાળ રોગ, અપચો, ગેસ, એસીડીટી, કૃમિ, કબજિયાત, મરડો જેવી પાચન સંબંધી તકલીફ ઉપરાંત મધુમેહ, સ્થૂળતા જેવા જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે.






Latest News