મોરબીમાં શિક્ષણના લાભાર્થે સમૂહલગ્ન યોજાયા: ૧૫ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા
મોરબીમાં ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન
SHARE
મોરબીમાં ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન
મોરબીમાં આવેલ સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ દ્વારા આગામી તા. ૨૧/૨ ને બુધવારે સવારે ૯ થી ૧૨ દરમ્યાન ગૌશાળા પ્રાથમિક શાળા લીલાપર રોડ મોરબી ખાતે વિનામૂલ્યે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વૈદ ખ્યાતિબેન ઠકરાર સેવા આપશે.
આ કેમ્પમાં યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન સારવાર, આયુર્વેદિક ઔષધીઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવાનું વિતરણ કરવામાં આવશે. અને ખાસ કરીને હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીની શરદી, સાંધાનો દુખાવો, ખરજવું, ધાધર જેવા ચામડીના રોગ, સ્ત્રી રોગ, બાળ રોગ, અપચો, ગેસ, એસીડીટી, કૃમિ, કબજિયાત, મરડો જેવી પાચન સંબંધી તકલીફ ઉપરાંત મધુમેહ, સ્થૂળતા જેવા જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવશે.