મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ઓવરબ્રિજના કામમાં ૯ કરોડના ખર્ચે વધુ ચાર ગાળા મંજૂર


SHARE







મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ઓવરબ્રિજના કામમાં ૯ કરોડના ખર્ચે વધુ ચાર ગાળા મંજૂર

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ત્યાં વધારાની સુવિધા માટે સરકારમાંથી વધુ ૯ કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગયેલ છે તેવી માહિતી મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપેલ છે

મોરબીના નેશનલ હાઇવેથી હળવદ રોડ પર આવતી મહેન્દ્રનગર ચોકડી પર બની રહેલા ફ્લાય ઓવરમાં જે તે વખતે વાહન વ્યવહાર માટે ૩૫ મીટરના ચાર ગાળા મંજૂર કરવામાં આવેલ હતા. જેતપર રોડ પર વધતા જતા ઔદ્યોગિકરણ અને ટ્રાફિકને ધ્યાનમાં લેતા વધારાના આવા ખુલ્લા અન્ય ચાર ગાળાની જરૂરિયાતને લક્ષમાં લેતા ધારાસભ્ય ધારાસભ્ય કાંતિભાઈએ સરકારમાં રજૂઆત કરેલ હતી અમે વાહન વ્યવહારની સરળતા માટે તથા પાર્કિંગ સમસ્યા હળવી કરવા માટે સરકાર દ્વારા ૩૫ મીટરના વધારાના ચાર ગાળા  બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે જેથી હવે ૩૫ મીટરના કુલ આઠ ગાળા ખુલ્લા રહેશે

આ માટે બનેલી નવી ડિઝાઈનના ફ્લાય ઓવરના ખર્ચમાં ૯ કરોડનો વધારાનો આર્થિક બોજ પડે છે અને આ કામ માર્ચ ૨૦૨૫ માં પૂર્ણ થશે, એટલા પૂરતી પ્રજાને હાલાકી પડશે. પરંતુ આવા ફ્લાય ઓવર વારંવાર બનતા નથી અને આવી સુવિધા પાછળથી ઉપલબ્ધ થઈ શકે નહીં, એટલે લાંબા ગાળાના હિતને ધ્યાનમાં લેતા થોડા સમય માટે આ તકલીફ સહન કરવા મોરબીની જનતા પાસે ધારાસભ્ય કાંતિભાઈએ સહકાર માંગ્યો છે અને સરકારમાં જથ્થા વધારાની દરખાસ્ત મંજૂર થઈ આ કામ ચાલુ કરવામાં આવશે તેવું પણ જણાવ્યુ છે






Latest News