મોરબીના રવાપર ગામે કારમાંથી ૨૧૫ દારૂની બોટલ સાથે એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નિબંધ-ચિત્ર સ્પર્ધા યોજાઇ
SHARE
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નિબંધ-ચિત્ર સ્પર્ધા યોજાઇ
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ૨૬ મી ફેબ્રુઆરીના રોજ “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ ભારતીય રેલવેના ૫૫૪ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસનો શિલાન્યાસ કરશે અને ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ અને અંડરપાસના અંદાજે ૪૧,૦૦૦ કરોડની લાગતના કામોનું શિલાન્યાસ અને રાષ્ટ્રને અર્પણ કરશે આ પ્રસંગે, “અમૃત સ્ટેશન યોજના” હેઠળ, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ના રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, ઓખા, ખંભાળિયા, હાપા, કાનાલુસ, ભાટિયા, વાંકાનેર અને થાન અને પડધરી, વિવિધ ૧૨ સ્ટેશનો પર કુલ ૭૪ શાળાઓમાં ધોરણ ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઑ માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની થીમ "૨૦૪૭ નું વિકસિત અને ભારતીય રેલવે" હતી જેમાં કુલ ૭૯૪૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓના વિજેતાઓને ૨૬ મી ફેબ્રુઆરી ના રોજ રાજકોટ ડિવિઝનના સ્થળો અને સ્ટેશનો પર આયોજિત થનારા સ્થાનિક કાર્યક્રમોમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવશે