મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બંધ રેલવે ફાટક પાસે ઉભેલ ટ્રક પાછો રળતાં ટાયરના જોટામાં આવી જવાથી વૃદ્ધનું મોત


SHARE













વાંકાનેરમાં બંધ રેલવે ફાટક પાસે ઉભેલ ટ્રક પાછો રળતાં ટાયરના જોટામાં આવી જવાથી વૃદ્ધનું મોત

વાંકાનેરના મિલ પ્લોટ રેલવે ફાટક બંધ હતું જેથી કરીને વાહનો ત્યાં ઊભા હતા અને ફાટક ખૂલ્યા બાદ આગળ ઉભેલો ટ્રક પાછો પડ્યો હતો જેથી કરીને પાછળના ભાગમાં બાઈક લઈને ઉભેલા વૃદ્ધના બાઈક સાથે ટ્રક અથડાયો હતો અને ટ્રકના પાછળના જોટામાં વૃદ્ધનો જમણો પગ આવી જવાના કારણે ગંભીર ઇજા થવાથી વૃદ્ધનું મોત નીપજયું હતું અને હાલમાં વૃદ્ધના દીકરાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની મીલ કોલોની મિલ પ્લોટ અમરસિંહ મિલની બાજુમાં રહેતા અમિતભાઈ દિલીપભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ (૨૯)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૩ બીવાય ૫૩૫૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મિલ પ્લોટ રેલવે ફાટક બંધ હતું જેથી કરીને વાહનો ઊભા હતા અને ફાટક ખૂલતાની સાથે જ વાહનો ત્યાંથી નીકળવા જઇ રહ્યા હતા ત્યારે આગળના ભાગે ઉભેલો ટ્રક એકદમ પાછળની સાઈડમાં આવ્યો હતો ત્યારે ફરિયાદીના પિતા દિલીપભાઈ સુખદેવભાઈ પંડ્યા (૬૮) ના બાઈકને હડફેટે લીધું હતું અને ડ્રાઇવર સાઈડના જોટામાં ફરિયાદીના પિતાનો જમણો પગ આવી ગયો હતો જેથી કરીને ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

માર માર્યો

મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા સુનિલભાઈ લખધીરભાઈ પાલ (૩૫) નામના યુવાનને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે ગોકુલનગરમાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા સુનિલભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવી હતી






Latest News