મોરબી નવયુગ વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે સાયન્સ ફેર યોજાયો
મોરબીના ફડસર ગામે લાગેલી આગમાં ચંદન-સારુના ઝાડ બળીને ખાખ: ખેડૂતને નુકસાન
SHARE
મોરબીના ફડસર ગામે લાગેલી આગમાં ચંદન-સારુના ઝાડ બળીને ખાખ: ખેડૂતને નુકસાન
મોરબી તાલુકાના ફડસર ગામે બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને આગ ધીમે ધીમે કરતાં મોટા વિસ્તારમાં પ્રસરી ગઈ હતી જેથી જુદા જુદા ખેડૂતોના ખેતરના શેઢે ઘાસ તેમજ બાવળ બળીને ખાખ થઈ ગયા હતા તેની સાથે એક ખેડૂતે પોતાના ફાર્મમાં ચંદન અને સરૂના ઝાડનું વાવેતર કર્યું હતું જે પણ આગમાં બળીને ખાખ થઈ જતાં ખેડૂતને નુકસાન થયેલ છે
મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર આગ લાગવાની ઘટના બની હતી દરમિયાન જો વાત કરીએ મોરબીના ફડસરની તો ત્યાં આગ લાગી હતી તે મોટા વિસ્તારની અંદર પ્રસરી ગઈ હતી અને સીમ વિસ્તાર હોવાના કારણે ત્યાં જે ઘાસ તથા બાવળની જાળીઓ હતી તે તમામ બળીને ખાખ થઈ ગયેલ છે જોકે ત્યાં ફાર્મ ધરાવતા હીરાભાઈ રામભાઈ કુંભારવાડીયા દ્વારા આ બનાવની તાત્કાલિક મોરબી તાલુકા પોલીસ અને નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ત્યાં પહોચી હતી અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જોકે આગ વધુ પ્રમાણમાં પ્રસરી ગઈ હોવાથી તેઓના ફાર્મની અંદર તેઓએ ચંદન તથા સરુના ઝાડનું વાવેતર કર્યું હતું તેમાંથી ૧૫ ચંદનના ઝાડ અને ૧૫ સારુના ઝાડ બળીને ખાખ થઈ ગયેલ છે જેથી કરીને ખેડૂતને નુકસાની થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે અન્ય ખેડૂતોને પણ નુકસાન થયેલ છે









