મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે કામ ધંધો કરવાનું બાપુજીએ કહેતા યુવાને ન કરવાનું કરી નાખ્યુ


SHARE







મોરબીના ખાખરાળા ગામે કામ ધંધો કરવાનું બાપુજીએ કહેતા ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના ખાખરાળા ગામે આવેલા યુવાનને તેના બાપુજી અવારનવાર કામ ધંધો કરવા માટે થઈને કહેતા હતા જેથી કરીને તેને લાગી આવ્યું હતું અને તેણે પોતાની જાતે કોઈ ઝેરી દવા પી લેતા તેને ઉલટી ઉબકા થવા લાગ્યા હતા જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજયુ હતુ નથી મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરીા આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના ખાખરાળા ગામના મૂળ રહેવાસી અને હાલ સુરતના ઉધના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા સંકેત કિશોરભાઈ વણોલ (૨૧) નામના યુવાને ગત તારીખ ૨૪/૨ ના રોજ બપોરે પોણા બે વાગ્યાના અરસામાં ખાખરાળા ગામ પાસે કોઈ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં તે યુવાનનું સારવાર દરમિયાન ગઈકાલે સાંજના સમયે મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે  આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવાનને તેના બાપુજી કામ ધંધો કરવા માટે થઈને અવારનવાર કહેતા હતા અને તે બાબતે તેને લાગી આવતા તેને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું સારવાર દરમિયાન મોત થયું છે આ અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા પામેલ મહીલા સારવારમાં

મોરબીમાં આવેલ ગ્રીન ચોક પાસે કંસારા શેરીમાં રહેતા જ્યોતિબેન રાકેશભાઈ મહેતા (૩૯) નામના મહિલા બાઇકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ગ્રીન ચોક પાસે બાઈકમાંથી તે નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને ઈજા થઈ હતી અને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News