મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં દારૂ-બિયરની બે અને જુગારની બે રેડ મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે કામ ધંધો કરવાનું બાપુજીએ કહેતા યુવાને ન કરવાનું કરી નાખ્યુ


SHARE















મોરબીના ખાખરાળા ગામે કામ ધંધો કરવાનું બાપુજીએ કહેતા ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના ખાખરાળા ગામે આવેલા યુવાનને તેના બાપુજી અવારનવાર કામ ધંધો કરવા માટે થઈને કહેતા હતા જેથી કરીને તેને લાગી આવ્યું હતું અને તેણે પોતાની જાતે કોઈ ઝેરી દવા પી લેતા તેને ઉલટી ઉબકા થવા લાગ્યા હતા જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજયુ હતુ નથી મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરીા આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના ખાખરાળા ગામના મૂળ રહેવાસી અને હાલ સુરતના ઉધના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા સંકેત કિશોરભાઈ વણોલ (૨૧) નામના યુવાને ગત તારીખ ૨૪/૨ ના રોજ બપોરે પોણા બે વાગ્યાના અરસામાં ખાખરાળા ગામ પાસે કોઈ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં તે યુવાનનું સારવાર દરમિયાન ગઈકાલે સાંજના સમયે મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે  આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવાનને તેના બાપુજી કામ ધંધો કરવા માટે થઈને અવારનવાર કહેતા હતા અને તે બાબતે તેને લાગી આવતા તેને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું સારવાર દરમિયાન મોત થયું છે આ અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા પામેલ મહીલા સારવારમાં

મોરબીમાં આવેલ ગ્રીન ચોક પાસે કંસારા શેરીમાં રહેતા જ્યોતિબેન રાકેશભાઈ મહેતા (૩૯) નામના મહિલા બાઇકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ગ્રીન ચોક પાસે બાઈકમાંથી તે નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને ઈજા થઈ હતી અને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News