ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખે પદ-પક્ષમાંથી મૂક્યું રાજીનામુ


SHARE













મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખે પદ-પક્ષમાંથી મૂક્યું રાજીનામુ

મોરબી જીલ્લામાં કોંગ્રેસના હોદેદારો દ્વારા પક્ષમાંથી રાજીમાના મૂકવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખે પદ અને પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને તેની કોપી ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખને મોકલવી આપેલ છે

તાજેતરમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પમુખ તરીકે કિશોરભાઇ ચિખલિયાની વરણી કરવામાં આવી છે ત્યાર પછીથી કોંગ્રેસમાંથી ઘણા આગેવાનોએ રાજીનામાં આવેલ છે અને ગઇકાલે વધુ સાત હોદેદાર અને કાર્યકર્તાઓએ કોંગ્રેસના તમામ હોદાઓ ઉપરથી અને પક્ષમાંથી રાજીનામાં આપેલ હતા તેવામાં આજે સવારે મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા દ્વારા તેઓના હોદા ઉપરથી અને પક્ષમાંથી સ્વેચ્છિક રાજીનામું આપવામાં આવ્યું છે અને તેની કોપી તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલવી આપેલ છે અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા મોરબી જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું બાદ ભાજપમાં વિધિવત પ્રવેશ મેળવી લીધેલ છે અને તેની સાથે લગભગ ૨૦૦ જેટલા લોકોએ કોંગ્રેસ છોડીને કેસરિયા કર્યા હતા અને હજુ પણ મોરબી જીલ્લામાં કોંગ્રેસ પક્ષમાંથી સ્વૈચ્છિક રાજીનામા આપવાનો સિલસિલો યથાવત છે






Latest News