મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખે પદ-પક્ષમાંથી મૂક્યું રાજીનામુ


SHARE









મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખે પદ-પક્ષમાંથી મૂક્યું રાજીનામુ

મોરબી જીલ્લામાં કોંગ્રેસના હોદેદારો દ્વારા પક્ષમાંથી રાજીમાના મૂકવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખે પદ અને પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને તેની કોપી ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખને મોકલવી આપેલ છે

તાજેતરમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પમુખ તરીકે કિશોરભાઇ ચિખલિયાની વરણી કરવામાં આવી છે ત્યાર પછીથી કોંગ્રેસમાંથી ઘણા આગેવાનોએ રાજીનામાં આવેલ છે અને ગઇકાલે વધુ સાત હોદેદાર અને કાર્યકર્તાઓએ કોંગ્રેસના તમામ હોદાઓ ઉપરથી અને પક્ષમાંથી રાજીનામાં આપેલ હતા તેવામાં આજે સવારે મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા દ્વારા તેઓના હોદા ઉપરથી અને પક્ષમાંથી સ્વેચ્છિક રાજીનામું આપવામાં આવ્યું છે અને તેની કોપી તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલવી આપેલ છે અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા મોરબી જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું બાદ ભાજપમાં વિધિવત પ્રવેશ મેળવી લીધેલ છે અને તેની સાથે લગભગ ૨૦૦ જેટલા લોકોએ કોંગ્રેસ છોડીને કેસરિયા કર્યા હતા અને હજુ પણ મોરબી જીલ્લામાં કોંગ્રેસ પક્ષમાંથી સ્વૈચ્છિક રાજીનામા આપવાનો સિલસિલો યથાવત છે






Latest News