મોરબીના શનાળા નજીક ભંગારના ડેલામાં લાગી આગ
SHARE
મોરબીના શનાળા નજીક ભંગારના ડેલામાં લાગી આગ
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ શનાળા ગામથી આગળના ભાગમાં નવી બની રહેલ મેડિકલ કોલેજની સામેના ભાગમાં ભંગારનો ડેલો આવેલ છે તે ભંગારના ડેલામાં મોડી રાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી આ બનાવ અંગેની તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભંગારના ડેલામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો. જોકે આગ કાબુમાં આવી ત્યાર સુધીમાં ભંગારના ડેલામાં રાખવામાં આવેલ તમામ મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો જોકે આગ લાગવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે વ્યક્તિને ઈજા થયેલ નથી અને આગ કયા કારણોસર લાગી હતી તે બાબતની કોઈ સ્પષ્ટતા થયેલ નથી