મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

રાજકોટથી કુલદેવીના દર્શન કરવા આવેલા આધેડ વેપારીનું માટેલિયા ધરામાં ડૂબી જવાથી મોત


SHARE













રાજકોટથી કુલદેવીના દર્શન કરવા આવેલા આધેડ વેપારીનું માટેલિયા ધરામાં ડૂબી જવાથી મોત

રાજકોટની હરિ દર્શન સોસાયટીમાંથી બે દિવસ પહેલા ઘરે કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલા આધેડની વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ગામે માટેલિયા ધરામાંથી લાશ મળી આવી હતી જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરતાં પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ તેઓના કુળદેવી ખોડીયાર માતાજી હોય ત્યાં દર્શન કરવા માટે આવ્યા હતા અને પગ લપસતા તેઓ ધરામાં પડી જવાથી તેમનું મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું છે તે અંગેની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ માટેલ ગામે ખોડીયાર માતાજીના મંદિર સામે આવેલ માટેલિયા ધરામાંથી રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ હરિ દર્શન સોસાયટીમાં રહેતા વેપારી બીપીનભાઈ કરમશીભાઈ પીપળીયા જાતે પટેલ (૫૫)નો મૃતદેહ ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને વાંકાનેરની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ અંગેની જાણ વાંકાનેર તાલુક પોલીસને કરવામાં આવી હતી જેથી આગળ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જે.જી. ઝાલા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે બીપીનભાઈ પીપળીયા બે દિવસ પહેલા પોતાના ઘરેથી કોઈને કશું કર્યા વગર નીકળી ગયા હતા જોકે વઘાસીયા ટોલનાકા પાસે ફસ્ટેગમાં તેનો ગાડી પસાર થઈ હતી અને તેના રૂપિયા કપાયાનો મેસેજ તેના દીકરાં મોબાઇલમાં આવ્યો હતો જેથી કરીને તેના પિતા ગાડી લઈને વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે આવેલ તેઓના કુળદેવી ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવામાં આવ્યા હોય તેવું સામે આવ્યુ હતું અને મૃતક બીપીનભાઈ પીપળીયા અવાર નવાર તેઓના કુળદેવીના દર્શને આવતા હોય છે તેવું તેના પરિવારજનોએ જણાવ્યુ છે અને ધરા પાસે કોઈ કારણસર અકસ્માતે તેઓનો પગ લપસતા તેઓ માટેલિયા ધરામાં પડી ગયા હોય જેથી તેમનું મોત થયું હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબીમાં આવેલ મકરાણીવાસમાં રહેતા સમશાદબેન રફિકભાઈ મકરાણી (૩૦) નામની મહિલાને તેના પતિ દ્વારા ઘરે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News