મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારામાં શિવરાત્રીના દિવસે ઋષિ બોધોત્સવની ઉજવણી કરાશે


SHARE













ટંકારામાં શિવરાત્રીના દિવસે ઋષિ બોધોત્સવની ઉજવણી કરાશે

દર વર્ષે મહાશિવરાત્રિ દરમિયાન ટંકારા ખાતે યોજાતો ત્રિદિવસીય બોધોત્સવ આ વર્ષે શિવરાત્રીના દીને બપોર સુધી ઉજવણી કરવામાં આવશે. દ્રિશતાપદી મહોત્સવની ઉજવણી અંતર્ગત આ વર્ષે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ નહી યોજાઈ જો કે, ગુરૂકુલ અને આર્ય સમાજ સંયુક્ત ઉપક્રમે સ્થાનિક કક્ષાએ કાર્યકમ યોજાશે. 

 મહાશિવરાત્રિના દિને વૈદિકધર્મના પ્રચારક આર્ય સમાજના સ્થાપક વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક ઝંડાધારી મહર્ષિ દયાનંદ સરસ્વતી (મુળશંકર ને જ્ઞાન પ્રાપ્ત થયા નું માની) શિવરાત્રીને ૠષિની બોધ રાત્રી ગણી ટંકારા ત્રિદિવસીય બોધોત્સવ ઉજવે છે આ માટે અંદાજે દેશભરમાંથી જુદા જુદા રાજયોમાંથી હજારો જેટલા આર્યસમાજીઓ ટંકારા ખાતે પધારતા હોય છે પરંતુ થોડા દિવસ પહેલાં જ સ્વામીજી ના ૨૦૦ મા જન્મોત્સવની ઉજવણી ભવ્યાતિભવ્ય થઈ હતી અને ખુબ મોટી સંખ્યામાં આર્ય જગતમાં માનનારા લોકો ટંકારા પધાર્યા હતા જેને કારણે આ વર્ષે શિવરાત્રીના દિવસે સવારે ઓમ ધ્વજા રોહણ અને ચતુર્વેદી યજ્ઞની પૂર્ણાહુતિ અને ભોજનશાળા ખુલ્લી મુકી પ્રવચન ઈતિયાદી બપોર સુધીનો કાર્યક્રમ કરવાનું સ્થાનિક કમિટીએ આયોજન કર્યું હતું. આ ઉપરાંત દિલ્હીથી બાઈક ઉપર આવી રહેલા ૮૦ જેટલા આર્યવીરોને આ દિવસે આવકારી એમની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.






Latest News