મોરબીની પીપળીયા ચોકડી ઓવરબ્રિજ, પીએચસી અને પોલીસ સ્ટેશન બનાવવાની સીએમને રજુઆત
SHARE
મોરબીની પીપળીયા ચોકડી ઓવરબ્રિજ, પીએચસી અને પોલીસ સ્ટેશન બનાવવાની સીએમને રજુઆત
મોરબીના નવલખી રોડે આવેલ પીપળીયા ચોકડી ટ્રાફિક સહિતના પ્રશ્નોનાં ઉકેલ માટે હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે અને ત્યાં ઓવરબ્રિજ, પીએચસી અને પોલીસ સ્ટેશન બનાવ હાલમાં સામાજિક કાર્યકર દ્વારા સીએમને રજુઆત કરવામાં આવેલ છે
ટંકારા તાલુકાનાં વીરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવી દ્વારા હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીની પીપળીયા ચોકડી પાસેથી નવલખી બંદર તરફ જવાનો રસ્તો અને કચ્છથી જામનગર તરફ જવા માટેનો રસ્તો પસાર થાય છે ત્યારે ત્યાં ટ્રાફિક વધુ રહે છે અને ૨૪ કલાક વાહનોનું પરિવહન થતું હોવાથી ત્યાં નાના મોટા અકસ્માતો પણ થાય છે જેથી કરીને અકસ્માતોને નિવારવા માટે અને લોકોને સુવિધા મળે તે માટે પીપળીયા ચોકડીએ ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે તેમજ મોરબી અને માળીયા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ પણ ઝડપથી મળી રહે તે માટે પીપળીયા ચાર રસ્તા પાસે પીએચસી બનાવવામાં આવે તેમજ લોકોની સલામતી માટે ત્યાં પોલીસ સ્ટેશન બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે તેમજ પીપળીયા ચોકડીએ બસ સ્ટેશન બનાવવામાં આવે તો લોકોને સુવિધામાં વધારો થાય તેમ છે તેમજ જુદાજુદા ગામોમાં સિંચાઈ સુવિધા ન હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરીકોનું સ્થળાંતર થઈ રહ્યું છે જો સિંચાઇ માટેનું પાણી મળે તેવું આયોજન પણ સરકાર દ્વારા દ્વારા કરવામાં આવે તો ગામડાઓને તૂટતાં બચાવી શકાય તેમ છે જેથી આ તમામ સુવિધાઓને વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરાઇ છે