મોરબીના ઉમિયા આશ્રમે શિવરાત્રી મહોત્સવ ઉજવાશે: ધક્કાવારી મેલડી માતાજી મંદિરે મહાઆરતીનું આયોજન
SHARE
મોરબીના ઉમિયા આશ્રમે શિવરાત્રી મહોત્સવ ઉજવાશે: ધક્કાવારી મેલડી માતાજી મંદિરે મહાઆરતીનું આયોજન
મોરબીમાં શનાળા રોડે આવેલ સત્યનારાયણ ગૌશાળા ઉમિયા આશ્રમ ખાતે કાલે તા ૮ માર્ચને શિવરાત્રીના દિવસે શિવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં સવારે ભગવાન ભોલેનાથની આરતી, ત્યાર બાદ સવારે ૮ થી ૧૦ ફરાળી પ્રસાદ, ઉત્સવ અનુરૂપ ભોલેનાથની પ્રસાદી અને આખા દિવસમાં ૮ પહોરની પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોરબીના લોકોએ લાભ લેવા માટે ઉમિયા આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજએ આમંત્રણ આપવામાં આવેલ છે
દીવડાંની મહાઆરતી
મોરબીમાં નવલખી રોડે આવેલ રેલ્વે સ્ટેશન પાસે ધક્કાવારી મેલડી માતાજીનું મંદિર આવેલ છે ત્યાં આગામી તા. ૧૦ માર્ચને રવિવારે સાંજના ૬:૨૦ કલાકે ૧૧૦૦ દીવડાંની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને ધર્મપ્રિય જનતાએ મહાઆરતીનો લાભ લેવા આયોજક પ્રસન્નાબા રાઠોડએ નિમંત્રણ આપ્યું છે