મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા આશ્રમે શિવરાત્રી મહોત્સવ ઉજવાશે: ધક્કાવારી મેલડી માતાજી મંદિરે મહાઆરતીનું આયોજન


SHARE











મોરબીના ઉમિયા આશ્રમે શિવરાત્રી મહોત્સવ ઉજવાશે: ધક્કાવારી મેલડી માતાજી મંદિરે મહાઆરતીનું આયોજન

મોરબીમાં શનાળા રોડે આવેલ સત્યનારાયણ ગૌશાળા ઉમિયા આશ્રમ ખાતે કાલે તા ૮ માર્ચને શિવરાત્રીના દિવસે શિવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં સવારે ભગવાન ભોલેનાથની આરતી, ત્યાર બાદ સવારે ૮ થી ૧૦ ફરાળી પ્રસાદ, ઉત્સવ અનુરૂપ ભોલેનાથની પ્રસાદી અને આખા દિવસમાં ૮  પહોરની પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોરબીના લોકોએ લાભ લેવા માટે ઉમિયા આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજએ આમંત્રણ આપવામાં આવેલ છે

દીવડાંની મહાઆરતી

મોરબીમાં નવલખી રોડે આવેલ રેલ્વે સ્ટેશન પાસે ધક્કાવારી મેલડી માતાજીનું મંદિર આવેલ છે ત્યાં આગામી તા. ૧૦ માર્ચને રવિવારે સાંજના ૬:૨૦ કલાકે ૧૧૦૦ દીવડાંની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને ધર્મપ્રિય જનતામહાઆરતીનો લાભ લેવા આયોજક પ્રસન્નાબા રાઠોડનિમંત્રણ આપ્યું છે






Latest News