મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા આશ્રમે શિવરાત્રી મહોત્સવ ઉજવાશે: ધક્કાવારી મેલડી માતાજી મંદિરે મહાઆરતીનું આયોજન


SHARE





મોરબીના ઉમિયા આશ્રમે શિવરાત્રી મહોત્સવ ઉજવાશે: ધક્કાવારી મેલડી માતાજી મંદિરે મહાઆરતીનું આયોજન

મોરબીમાં શનાળા રોડે આવેલ સત્યનારાયણ ગૌશાળા ઉમિયા આશ્રમ ખાતે કાલે તા ૮ માર્ચને શિવરાત્રીના દિવસે શિવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં સવારે ભગવાન ભોલેનાથની આરતી, ત્યાર બાદ સવારે ૮ થી ૧૦ ફરાળી પ્રસાદ, ઉત્સવ અનુરૂપ ભોલેનાથની પ્રસાદી અને આખા દિવસમાં ૮  પહોરની પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોરબીના લોકોએ લાભ લેવા માટે ઉમિયા આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજએ આમંત્રણ આપવામાં આવેલ છે

દીવડાંની મહાઆરતી

મોરબીમાં નવલખી રોડે આવેલ રેલ્વે સ્ટેશન પાસે ધક્કાવારી મેલડી માતાજીનું મંદિર આવેલ છે ત્યાં આગામી તા. ૧૦ માર્ચને રવિવારે સાંજના ૬:૨૦ કલાકે ૧૧૦૦ દીવડાંની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને ધર્મપ્રિય જનતામહાઆરતીનો લાભ લેવા આયોજક પ્રસન્નાબા રાઠોડનિમંત્રણ આપ્યું છે




Latest News