મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં આજે અને કાલે કેન્સરના દર્દીઓ માટે નિદાન કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં આજે અને કાલે કેન્સરના દર્દીઓ માટે નિદાન કેમ્પનું આયોજન

મુંબઈના જાણીતા કેન્સર નિષ્ણાંત ડોક્ટર વિક્રમભાઈ સંઘવી મોરબી ખાતે શનિ અને રવિવારે હાજર રહેવાના છે અને દર્દીઓને ચેક કરીમે માર્ગદર્શન આપશે આ કાર્યક્રમ મોરબીના શ્રી વિશાશ્રીમાળી વર્ણીક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ દ્વારા દાતા રૂપાબેન જગદીશભાઈ ઝવેરીના આર્થિંક સહયોગથી ૧૮૬ મો કેન્સર નિદાન કેમ્પ યોજાયો

મોરબી તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર કેન્સર નિદાન કેમ્પ મોરબી ખાતે યોજાતા આવે છે આ કેમ્પ શ્રી વિશાશ્રી માળી વર્ણીક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ આયોજિત શ્રી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ નવાડેલા રોડ, મોરબી ખાતે યોજાય છે. આજે તા.૯ ના રોજ ૧૮૬ મો કેમ્પ યોજાયો હતો. જે તા.૧૦ ને રવિવારે પણ ચાલુ રાખવામાં આવ્યો હતો. અને દાતા રૂપાબેન જગદીશભાઈ ઝવેરી તરફથી તેમની સુપુત્રી નેહલબેન શાહના લગ્ન પ્રસંગે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં કેન્સર નિદાન-સારવાર માટે મુંબઈના કેન્સરના નિષ્ણાંત સર્જન ડો.વિક્રમભાઈ સંઘવીએ કેન્સરના દર્દીઓને તા.૯ ને શનિવાર સાંજે ૪ થી ૭ અને તા.૧૦ ને રવિવાર સવારે ૯ થી ૧૨ યોજાશે અને કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈને તેમના મોબાઈલ નંબર ૯૫૩૭૦ ૯૯૨૧૯ ઉપર અગાઉથી નોંધાવવાનું રહેશે. તેમજ તપાસ કરવા માટે આવો ત્યારે પોતાના જુના કેશ પેપર સાથે લાવવાના રહેશે તેમ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહએ યાદીમાં જણાવ્યું હતું.






Latest News