મોરબીમાં મુકાયેલ પીએસઆઈ પંકજ મિશ્રાનું પ્રજાપતિ સમાજના આગેવાનોએ કર્યું સન્માન
મોરબીમાં આજે અને કાલે કેન્સરના દર્દીઓ માટે નિદાન કેમ્પનું આયોજન
SHARE
મોરબીમાં આજે અને કાલે કેન્સરના દર્દીઓ માટે નિદાન કેમ્પનું આયોજન
મુંબઈના જાણીતા કેન્સર નિષ્ણાંત ડોક્ટર વિક્રમભાઈ સંઘવી મોરબી ખાતે શનિ અને રવિવારે હાજર રહેવાના છે અને દર્દીઓને ચેક કરીમે માર્ગદર્શન આપશે આ કાર્યક્રમ મોરબીના શ્રી વિશાશ્રીમાળી વર્ણીક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ દ્વારા દાતા રૂપાબેન જગદીશભાઈ ઝવેરીના આર્થિંક સહયોગથી ૧૮૬ મો કેન્સર નિદાન કેમ્પ યોજાયો
મોરબી તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર કેન્સર નિદાન કેમ્પ મોરબી ખાતે યોજાતા આવે છે આ કેમ્પ શ્રી વિશાશ્રી માળી વર્ણીક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ આયોજિત શ્રી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ નવાડેલા રોડ, મોરબી ખાતે યોજાય છે. આજે તા.૯ ના રોજ ૧૮૬ મો કેમ્પ યોજાયો હતો. જે તા.૧૦ ને રવિવારે પણ ચાલુ રાખવામાં આવ્યો હતો. અને દાતા રૂપાબેન જગદીશભાઈ ઝવેરી તરફથી તેમની સુપુત્રી નેહલબેન શાહના લગ્ન પ્રસંગે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં કેન્સર નિદાન-સારવાર માટે મુંબઈના કેન્સરના નિષ્ણાંત સર્જન ડો.વિક્રમભાઈ સંઘવીએ કેન્સરના દર્દીઓને તા.૯ ને શનિવાર સાંજે ૪ થી ૭ અને તા.૧૦ ને રવિવાર સવારે ૯ થી ૧૨ યોજાશે અને કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈને તેમના મોબાઈલ નંબર ૯૫૩૭૦ ૯૯૨૧૯ ઉપર અગાઉથી નોંધાવવાનું રહેશે. તેમજ તપાસ કરવા માટે આવો ત્યારે પોતાના જુના કેશ પેપર સાથે લાવવાના રહેશે તેમ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહએ યાદીમાં જણાવ્યું હતું.









