વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

ઝૂલતા પુલ ઘટનામાં જે કલમ મુજબ ગુનો નોંધાયો તે મુજબ જ પુલના ગાબડાં-મેડિકલ કોલેજની ઘટના ગુનો નોંધો: કાન્તિલાલ ડી. બાવરવા


SHARE













ઝૂલતા પુલ ઘટનામાં જે કલમ મુજબ ગુનો નોંધાયો તે મુજબ જ પુલના ગાબડાં-મેડિકલ કોલેજની ઘટના ગુનો નોંધો: કાન્તિલાલ ડી. બાવરવા

મોરબી જીલ્લામાં નબળા કામો જેવા કે મચ્છુ-૩ પાસેનો પુલ તેમજ મેડીકલ કોલેજના કોન્ટ્રકાટરો, તેમજ જવાબદાર અધિકાર સામે F.I.R. નોંધવા માટેની અને જેલ હવાલે કરવાની મોરબીમાં રહેતા રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે

હાલમાં મોરબીમાં રહેતા રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે મચ્છુ -૩ ડેમ પાસેના મચ્છુ નદીપરના નવા બનેલા પુલમાં પડેલા ગાબડા બાબતે તેમજ નવી બની રહેલ મેડીકલ કોલેજના ધરાશાયી થયેલ સ્લેબ કે જેંમાં મજુર લોકોને  ઈજા થયેલ છે. તે બને ઘટનાના કોન્ટ્રાકટરોને તાત્કલિક કરીને તાકાલીક ધોરણે બ્લેક લીસ્ટ કરવા તેમજ તેની સામે જેમ જયસુખભાઈ  પટેલ સામે એફઆઇઆર કરીને કાર્યવાહી કરીને જેલ હવાલે કરેલ છે.  તેવી રીતે આ લોકોને પણ તેની સામે એફઆઇઆર  કરીને જેવા હવાલે કરવા માંગણી કરેલ છે તેમજ આ કામ પરના જવાબદાર કર્મચારી અધિકારીઓ સામે પણ એફઆઇઆર દાખલ કરીને તપાસ કરીને કસુરવારો  સામે પણ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરેલ છે આવી જ રીતે મોરબીના પીપળી અને જેતપર તેમજ મોરબીથી  હળવદ રોડના કામમાં પણ નબળી ગુણવતાના થતાં હોવાનું સામે આવી રહ્યું છે તેમજ મોરબી સીટીમાં હોસ્પિટલ ચોકથી રવાપર રોડના કામમાં પણ હલકી ગુણવતા છે અવની ચોકડીથી વાળી  સુધીના ચાલી રહેલ રોડના કામ માં પણ સ્પેસીફીકેશન મુજબ કામ થઇ રહ્યું નથી આ બધાની તપાસ કરાવી  કોન્ટ્રાકટરો, કર્મચારીઓ, ઓફિસરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી છે. અને જો પગલાં નહીં લેવામાં આવે તો ના છુટકે જનતા જનાર્દનને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News