મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

ઝૂલતા પુલ ઘટનામાં જે કલમ મુજબ ગુનો નોંધાયો તે મુજબ જ પુલના ગાબડાં-મેડિકલ કોલેજની ઘટના ગુનો નોંધો: કાન્તિલાલ ડી. બાવરવા


SHARE









ઝૂલતા પુલ ઘટનામાં જે કલમ મુજબ ગુનો નોંધાયો તે મુજબ જ પુલના ગાબડાં-મેડિકલ કોલેજની ઘટના ગુનો નોંધો: કાન્તિલાલ ડી. બાવરવા

મોરબી જીલ્લામાં નબળા કામો જેવા કે મચ્છુ-૩ પાસેનો પુલ તેમજ મેડીકલ કોલેજના કોન્ટ્રકાટરો, તેમજ જવાબદાર અધિકાર સામે F.I.R. નોંધવા માટેની અને જેલ હવાલે કરવાની મોરબીમાં રહેતા રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે

હાલમાં મોરબીમાં રહેતા રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે મચ્છુ -૩ ડેમ પાસેના મચ્છુ નદીપરના નવા બનેલા પુલમાં પડેલા ગાબડા બાબતે તેમજ નવી બની રહેલ મેડીકલ કોલેજના ધરાશાયી થયેલ સ્લેબ કે જેંમાં મજુર લોકોને  ઈજા થયેલ છે. તે બને ઘટનાના કોન્ટ્રાકટરોને તાત્કલિક કરીને તાકાલીક ધોરણે બ્લેક લીસ્ટ કરવા તેમજ તેની સામે જેમ જયસુખભાઈ  પટેલ સામે એફઆઇઆર કરીને કાર્યવાહી કરીને જેલ હવાલે કરેલ છે.  તેવી રીતે આ લોકોને પણ તેની સામે એફઆઇઆર  કરીને જેવા હવાલે કરવા માંગણી કરેલ છે તેમજ આ કામ પરના જવાબદાર કર્મચારી અધિકારીઓ સામે પણ એફઆઇઆર દાખલ કરીને તપાસ કરીને કસુરવારો  સામે પણ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરેલ છે આવી જ રીતે મોરબીના પીપળી અને જેતપર તેમજ મોરબીથી  હળવદ રોડના કામમાં પણ નબળી ગુણવતાના થતાં હોવાનું સામે આવી રહ્યું છે તેમજ મોરબી સીટીમાં હોસ્પિટલ ચોકથી રવાપર રોડના કામમાં પણ હલકી ગુણવતા છે અવની ચોકડીથી વાળી  સુધીના ચાલી રહેલ રોડના કામ માં પણ સ્પેસીફીકેશન મુજબ કામ થઇ રહ્યું નથી આ બધાની તપાસ કરાવી  કોન્ટ્રાકટરો, કર્મચારીઓ, ઓફિસરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી છે. અને જો પગલાં નહીં લેવામાં આવે તો ના છુટકે જનતા જનાર્દનને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News