મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં Book Review નો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની પી.જી. પટેલ કોલેજમાં Book Review નો કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસકાળ દરમિયાન પાઠ્યપુસ્તકોનું અભ્યાસ તો કરતા જ હોય છે પરંતુ સાથોસાથ પાઠ્યપુસ્તક સિવાયના જીવન ઉપયોગી પુસ્તકોનો અભ્યાસ પણ કરે અને વિદ્યાર્થીઓને ઈતર વાંચનનો રસ કેળવાય તેવા ઉંમદા હેતુથી મોરબીની પી.જી. પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય  ડો.રવિન્દ્ર ભટ્ટ ની રાહબરી હેઠળ Book Review શીર્ષક હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ પોતાની રસ રુચી મુજબ એક ચોક્કસ બુકનો અભ્યાસ કરી આ બુક અંગે પોતાના મંતવ્યો અને વિચારો રજૂ કરવાનુ પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં પ્રથમ ક્રમે પરમાર મીરા (FY B.Com), દ્વિતીય ક્રમે જોષી અક્ષીતા (TY BBA) અને તૃતીય ક્રમે સરધારા કૃપેશા (SY B.Com) રહ્યા હતા. આ તકે કોલેજના આચાર્ય તથા તમામ સ્ટાફગણે તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન કોલેજના મહિલા પ્રાધ્યાપક ડો.કાજલ પાઘડાળ દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News