મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદના નવા હોદેદારો નિમાયા, પ્રમુખ પદે ડો.જયેશભાઈ પનારા


SHARE











મોરબી ભારત વિકાસ પરિષદના નવા હોદેદારો નિમાયા, પ્રમુખ પદે ડો.જયેશભાઈ પનારા

સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની મોરબી શાખાના વર્ષ ૨૦૨૪-૨૫ ની ચુંટણી તા.૧૫ માર્ચ ગુરુવારના રોજ મહેશ હોટેલ મોરબી ખાતે પૂર્ણ થયેલ છે અને સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના અધ્યક્ષ પ્રફુલભાઈ ગોસ્વામીની હાજરીમાં સર્વ સમંતીથી ભારત વિકાસ પરિષદ મોરબી શાખા નવી ટીમને જવાબદારી આપવામાં આવેલ અને હોદ્દાના શપથ લેવડાવવામાં આવેલ છે.

મોરબી શાખાના નવા હોદેદારોમાં અધ્યક્ષ પદે ડો.જયેશભાઈ પનારા, સચિવ તરીકે હિંમતભાઈ મારવાણીયાની અને કોષાધ્યક્ષ પદે ચિરાગભાઈ હોથીની વરણીઓ કરવામાં આવેલ છે. ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા યોજાયેલ સાધારણ સભામાં રીજીયન સેક્રેટરી સેવા વિભાગના રવિન્દ્રભાઈ ત્રિવેદી, રીજીયન સેક્રેટરી સંપર્ક વિભાગના જેઠસુરભાઈ ગુજરિયા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત સંગઠન મંત્રી કરશનભાઈ મેહતા તથા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત એનજીએસસીના સહ સંયોજક ધ્રુમિલભાઈ આડેસરા તથા આનંદનગર શાખા રાજકોટના અધ્યક્ષ રમેશભાઈ દત્તા હાજર રહ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન મોરબી શાખાના સંગઠન મંત્રી તથા સોરાષ્ટ્ર કચ્છના ગુરુવંદન છાત્ર અભિનંદન પ્રકલ્પના સહસયોજક દિલીપભાઈ પરમારએ કર્યુ હતું તથા મોરબી શાખાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News