વાંકાનેર ખાતે ૪૨૨ લાખના ખર્ચે બનેલા બસ સ્ટેશનનું સાંસદ-ધારાસભ્યની હાજરીમાં લોકાર્પણ કરાયું
મોરબી ભારત વિકાસ પરિષદના નવા હોદેદારો નિમાયા, પ્રમુખ પદે ડો.જયેશભાઈ પનારા
SHARE
મોરબી ભારત વિકાસ પરિષદના નવા હોદેદારો નિમાયા, પ્રમુખ પદે ડો.જયેશભાઈ પનારા
સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની મોરબી શાખાના વર્ષ ૨૦૨૪-૨૫ ની ચુંટણી તા.૧૫ માર્ચ ગુરુવારના રોજ મહેશ હોટેલ મોરબી ખાતે પૂર્ણ થયેલ છે અને સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના અધ્યક્ષ પ્રફુલભાઈ ગોસ્વામીની હાજરીમાં સર્વ સમંતીથી ભારત વિકાસ પરિષદ મોરબી શાખા નવી ટીમને જવાબદારી આપવામાં આવેલ અને હોદ્દાના શપથ લેવડાવવામાં આવેલ છે.
મોરબી શાખાના નવા હોદેદારોમાં અધ્યક્ષ પદે ડો.જયેશભાઈ પનારા, સચિવ તરીકે હિંમતભાઈ મારવાણીયાની અને કોષાધ્યક્ષ પદે ચિરાગભાઈ હોથીની વરણીઓ કરવામાં આવેલ છે. ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા યોજાયેલ સાધારણ સભામાં રીજીયન સેક્રેટરી સેવા વિભાગના રવિન્દ્રભાઈ ત્રિવેદી, રીજીયન સેક્રેટરી સંપર્ક વિભાગના જેઠસુરભાઈ ગુજરિયા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત સંગઠન મંત્રી કરશનભાઈ મેહતા તથા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત એનજીએસસીના સહ સંયોજક ધ્રુમિલભાઈ આડેસરા તથા આનંદનગર શાખા રાજકોટના અધ્યક્ષ રમેશભાઈ દત્તા હાજર રહ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન મોરબી શાખાના સંગઠન મંત્રી તથા સોરાષ્ટ્ર કચ્છના ગુરુવંદન છાત્ર અભિનંદન પ્રકલ્પના સહસયોજક દિલીપભાઈ પરમારએ કર્યુ હતું તથા મોરબી શાખાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.