મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી મોરબીના બરવાળા નજીક ટ્રક પાછળ રીક્ષા ઘૂસી જતા યુવાનનું મોત મોરબી : દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા તળે ભાવનગર જેલ હવાલે મોરબીના અધ્યયન મંડળ દ્વારા કાલે વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય ઉપર બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબીમાં જલારામ ધામ ખાતે સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના મુખ્ય માર્ગો ઉપર કચરાના ગંજ વચ્ચે જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને મળતી સુવિધા કરાશે બંધની ચીફ ઓફિસરની ચીમકી હાસ્યાસ્પદ


SHARE

















મોરબીના મુખ્ય માર્ગો ઉપર કચરાના ગંજ વચ્ચે જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓને મળતી સુવિધા કરાશે બંધની ચીફ ઓફિસરની ચીમકી હાસ્યાસ્પદ

મોરબીમાં સફાઈ કરવામાં આવે ત્યાર બાદ વેપારીઓ સહિતનાઑ જાહેરમાં કચરો ફેંકે છે જેથી કરીને દુકાનદારોને પાલિકાએ જાહેર નોટિસ આપેલ છે અને આવું ન કરવાની સૂચના આપેલ છે અને જો કોઈ દુકાનદાર આવું કરશે તો પાલિકા દ્વારા દંડ કરવામાં આવશે અને પાલિકા દ્વારા અપાતી સુવિધા બંધ કરવામાં આવશે.

મોરબી પાલિકાના ચીફ ઓફિસરે હાલમાં વેપારીઓ માટે જાહેર નોટિસ ઇશ્યૂ કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી પાલિકા હદ વિસ્તારમાં આવતા વેપારી/દુકાનદારો કચરો જાહેર રસ્તા ઉપર નાખે છે જેથી કરીને ગંદકી ફેલાઈ છે. જેથી આ વેપારીઓ દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩ની કલમ-૨૭૫ હેઠળ સોલીડ વેસ્ટ અને પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ભંગ હેઠળ કાયદાકીય તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે જેથી જાહેર રસ્તા ઉપર કચરો નાખવાનું વેપારીઓ બંધ કરીને તેની દુકાનનો કચરો ડસ્ટબિનમાં રાખીને પાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેની ગાડી આવે તેમાં નાખે તેવી તાકીદ કરવામાં આવી છે અને જે વેપારીઓ સહકાર નહીં આપે તેને પાલિકા દ્વારા આપવામાં આવતી સુવિધા બંધ કરવામાં આવશે તેવું પણ અધિકારી જણાવ્યુ છે.

અત્રે નોંધનીય છે કે, મોરબીના અનેક મુખ્ય માર્ગો ઉપર કચરાના ઢગલા કરતા જોવા મળે છે ત્યારે લોકોને અને ખાસ કરીને વેપારીઓને બાનમાં લેવાની વાત હોય તે રીતે જાહેરમાં કચરા નાખશો તો કચરા નાખવા બદલ તમારી સુવિધાઓ બંધ કરવામાં આવશે તેવી હાલ પાલિકા તરફથી ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે જે હાલ લોકોમાં ચર્ચાનો અને હાસ્યસ્પદ વિષય બની ગયો છે કારણ કે મોરબીના દરબારગઢ પાસે ખોડીયાર મંદિર નજીક, વાંકાનેર દરવાજા પાસે, મોરબીના જુના બસ સ્ટેશન પાસે, મોરબીના નવા બસ સ્ટેશન પાસે, શાક માર્કેટની આગળ અને પાછળના ભાગમાં અને તે સહિતના અનેક વિસ્તારમાં ટ્રેક્ટર ભરાય તેટલા કચરાના ઢગલા દૈનિક જોવા મળે છે અને ખાસ કરીને પાલિકાના કર્મચારીઓ દ્વારા જ ત્યાં કચરા લઈને ઠાલવવામાં આવે છે તેવી વાત સ્થાનિકો કરી રહ્યા છે ત્યારે શું ત્યાં કચરા ફેકતા પાલિકાના કર્મચારીઓ ઉપર પણ આવા જ પગલાં પાલિકા લેશે ? તેવો સવાલ લોકો કરી રહ્યા છે






Latest News