મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે શિશુમંદીરમાં ડૉ.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સેવા તરંગ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના શનાળા ગામે શિશુમંદીરમાં ડૉ.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સેવા તરંગ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ પ્રેરિત ડૉ.હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા સેવા તરંગ ૨૦૨૪ નો વાર્ષિકોત્સવ સેવા વિભાગ મોરબી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. અને ગત રવિવારના રોજ બપોરે ૩:૦૦ વાગ્યાથી શનાળા ગામે આવેલ શિશુમંદીરમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ પ્રવિણભાઈ ધોળકિયા તથા વિપુલભાઈ અઘારા જેઓ ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટના ટ્રસ્ટીઓ છે તેઓના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ડો.નરેન્દ્રભાઈ દવે કે જેઓ સૌરાષ્ટ્ર પ્રાંતના સહવ્યવસ્થા પ્રમુખ તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના ટ્રસ્ટી છે તેઓએ ઉદબોધન આપેલ હતું અને જણાવ્યુ હતુ કે, મોરબી નગરમાં જે વિવિધ સેવાકેન્દ્રો જેવા કે શિક્ષણ, સંસ્કાર, સામાજિક, સ્વાસ્થ્ય, સ્વાવલંબનને લગતા કેન્દ્ર ચાલે છે તે ખૂબ જ માનવ સેવા એજ પ્રભુસેવાને સાર્થક કરે છે. આ કાર્યક્રમમાં મોરબી નગરમાં ચાલતા વિવિધ સેવા કેન્દ્રોના કાર્યકર્તાઓ, સંચાલકઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતા. આ સેવા તરંગના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં ડો. અર્જુનભાઈ સુવાગિયા, ઉદ્યોગપતિ બાલુભાઈ અંબાણી, જીલેશભાઈ કાલરીયા ખાસ આમંત્રિત મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યાં હતા અને તેઓએ આર્થિક બહુમૂલ્ય યોગદાન આપેલ હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કાર્યવાહ મિલનભાઈ પૈડા, સૌરાષ્ટ્ર પ્રાંતના સહસેવાપ્રમુખ હસમુખભાઈ પટેલનું ખાસ માર્ગદર્શન મળેલું હતું આ કાર્યક્રમની સફળતા માટે મોરબી જિલ્લા સેવા વિભાગના લાલજીભાઈ કુનપરા, મોરબી નગરના સેવાવિભાગના હરિભાઈ સરડવા, પ્રાણજીવનભાઈ વિડજાએ તથા મોરબી જિલ્લા તથા નગરના કાર્યકર્તાઓએ જહેમત ઊઠાવેલ હતી.






Latest News