મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું
Breaking news
Morbi Today

મોરબી પ્રગતિ ક્લાસીસ દ્વારા સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન


SHARE













મોરબી પ્રગતિ ક્લાસીસ દ્વારા સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન

મોરબીમાં આવેલ પ્રગતિ ક્લાસીસ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪/૨૫ માટે સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરેલ છે જેમાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી આ પરીક્ષાઓ OMR પદ્ધતિથી લેવામાં આવી હતી અને ધો. ૧૦ મટે ૯ ના ગણિત, વિજ્ઞાન,અંગ્રેજી, સમાજ, ગુજરાતી વિષયો તેમજ ધો. ૧૨ માટે ધો. ૧૧ ના એકાઉન્ટ, સ્ટેટ, અંગ્રેજી,બીએ,એસપી,અને અર્થશાસ્ત્ર જેવા વિષયોને સમાવી લેવામાં આવ્યા હતા. આ તકે પ્રગતિ ક્લાસીસના મુખ્ય સંચાલક પ્રમોદસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ પરીક્ષાનો મુખ્ય હેતુ એ છે કે, જે વિદ્યાર્થીઓ હોશિયાર હોવા છતાં પણ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ક્લાસીસમાં આવી શકતા નથી તો તેવા વિદ્યાર્થીઓને વધારે વધારે સ્કોલરશીપનો લાભ લઈ અને સારું પરિણામ લાવી શકે તેવા ઉમદા  હેતુથી આ પરીક્ષાના આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થીઓને ક્લાસીસના મુખ્ય સંચાલક પ્રમોદસિંહ રાણાએ શુભકામનાઓ પાઠવી છે.






Latest News