મોરબી નવયુગ બી.એડ્ કોલેજના તાલીમાર્થીઓ દ્રારા ટીંબળી પ્રાથમિક શાળાની શૈક્ષણિક મુલાકાત લીધી
મોરબી પ્રગતિ ક્લાસીસ દ્વારા સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન
SHARE
મોરબી પ્રગતિ ક્લાસીસ દ્વારા સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન
મોરબીમાં આવેલ પ્રગતિ ક્લાસીસ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪/૨૫ માટે સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરેલ છે જેમાં ધો. ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી આ પરીક્ષાઓ OMR પદ્ધતિથી લેવામાં આવી હતી અને ધો. ૧૦ મટે ૯ ના ગણિત, વિજ્ઞાન,અંગ્રેજી, સમાજ, ગુજરાતી વિષયો તેમજ ધો. ૧૨ માટે ધો. ૧૧ ના એકાઉન્ટ, સ્ટેટ, અંગ્રેજી,બીએ,એસપી,અને અર્થશાસ્ત્ર જેવા વિષયોને સમાવી લેવામાં આવ્યા હતા. આ તકે પ્રગતિ ક્લાસીસના મુખ્ય સંચાલક પ્રમોદસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ પરીક્ષાનો મુખ્ય હેતુ એ છે કે, જે વિદ્યાર્થીઓ હોશિયાર હોવા છતાં પણ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ક્લાસીસમાં આવી શકતા નથી તો તેવા વિદ્યાર્થીઓને વધારે વધારે સ્કોલરશીપનો લાભ લઈ અને સારું પરિણામ લાવી શકે તેવા ઉમદા હેતુથી આ પરીક્ષાના આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થીઓને ક્લાસીસના મુખ્ય સંચાલક પ્રમોદસિંહ રાણાએ શુભકામનાઓ પાઠવી છે.