ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી: બહેનના લગ્ન માટે લીધેલ રૂપિયા ભરપાઈ કરવાના બાકી હોય પરિવાર વતનમાં ન આવતા યુવાને અંતિમ પગલુ ભર્યું


SHARE













મોરબી: બહેનના લગ્ન માટે લીધેલ રૂપિયા ભરપાઈ કરવાના બાકી હોય પરિવાર વતનમાં ન આવતા યુવાને ન કરવાનું કર્યું

મોરબીના હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન પોતાના વતનમાં જવાનું કહેતો હતો જો કે, પરિવારે બહેનના લગ્ન માટે રૂપિયા લીધા હતા જે આપવાના બાકી હતા જેથી પરિવારજનો આવતા ન હતા જેથી તે યુવાનને મનોમન લાગી આવતા તે પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેની પોલીસને નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના કટની જિલ્લાના વિજયરઘવગઢ તાલુકાના ખીરવાનો રહેવાસી અને હાલ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચીમાંડલ ગામ પાસે સિમેરો સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતો અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતો પ્રદીપ શિવપ્રસાદ ગડારી જાતે અનુ. જાતિ (૨૪) નામનો યુવાન પોતાના લેબર ક્વાર્ટર નં-૩૩ માં હતો ત્યારે ત્યાં કપડાના ગામચા વડે તેને ગળાફાંસો ખાઈને તેને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને તેનો ભાઈ ચંદ્રભાન શિવપ્રસાદ ગડારી (૨૬) રહે. હાલ બંધુનગર પાસે બેરોના સીરામીક કારખાનાની ઓરડીમાં મોરબી મૂળ રહે. એમાપી વાળો સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારબાદ આપઘાતમાં આ બનાવ અંગેની તેના દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાન ગત જુન મહિનાથી પોતાના વતનમાં ઘરે ગયેલ ન હતો જેથી તેના ઘરવાળાઓને વતનમાં ઘરે જવા માટે વાત કરી હતી જો કે, ઘરવાળાઓએ બહેનના લગ્ન માટે લીધેલા રૂપિયા ભરવાઈ કરવાના બાકી હતા જેથી ઘરે આવવાની ના પાડતા હતા અને તે બાબતે તેને લાગી આવતા તે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News