મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામે વાડીમાં આવેલ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ૧.૩૫ લાખના મુદામાલની ચોરી


SHARE











હળવદના સુસવાવ ગામે વાડીમાં આવેલ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ૧.૩૫ લાખના મુદામાલની ચોરી

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાં તસ્કરે ધામા નાખ્યા હતા અને ત્યારે ત્યાં મુખ્ય દરવાજાનું તાળું રસોડામાં અભેરાઈ ઉપર પડેલ ડબ્બામાંથી ચાવી મેળવીને ખોલી નાખ્યું હતું અને ઘરની અંદર તસ્કરે પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તિજોરી અને ટંકના લોક-નકુચા તોડીને તેમાંથી સોના અને ચાંદીના દાગીના તેમજ ૨૫,૦૦૦ રોકડા આમ કુલ મળી ૧,૩૫,૦૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામની મોલાખુ તરીકે ઓળખાતી સીમમાં સુરેશભાઈ કરસનભાઈ ડાભી જાતે કોળી (૩૩) નામના યુવાનની વાડી આવેલ છે અને તે વાડીના અંદર તેમણે રહેણાંક મકાન બનાવેલ છે આ રહેણાંક મકાનના મુખ્ય દરવાજાની ચાવી ત્યાં અભેરાઈ ઉપર પડેલા ડબ્બામાંથી મેળવીને દરવાજો ખોલી રૂમમાં અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તિજોરીનો લોક તોડી નાખ્યો હતો અને ટંકના તાળા અને નકુચા તોડી નાખીને તેમાંથી ૬૦૦ ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ તેમજ છ તોલા સોનાના દાગીના જેની કિંમત રૂપિયા ૯૦,૦૦૦ અને રોકડા રૂપિયા ૨૫,૦૦૦ આમ કુલ મળીને ૧,૩૫,૦૦૦ ની કિંમતના મુદ્દામાલની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા સુરેશભાઈ ડાભી દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ પી.એસ.આઇ કે. એચ. અંબારિયા ચલાવી રહ્યા છે






Latest News