મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામે વાડીમાં આવેલ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ૧.૩૫ લાખના મુદામાલની ચોરી


SHARE







હળવદના સુસવાવ ગામે વાડીમાં આવેલ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ૧.૩૫ લાખના મુદામાલની ચોરી

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાં તસ્કરે ધામા નાખ્યા હતા અને ત્યારે ત્યાં મુખ્ય દરવાજાનું તાળું રસોડામાં અભેરાઈ ઉપર પડેલ ડબ્બામાંથી ચાવી મેળવીને ખોલી નાખ્યું હતું અને ઘરની અંદર તસ્કરે પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તિજોરી અને ટંકના લોક-નકુચા તોડીને તેમાંથી સોના અને ચાંદીના દાગીના તેમજ ૨૫,૦૦૦ રોકડા આમ કુલ મળી ૧,૩૫,૦૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામની મોલાખુ તરીકે ઓળખાતી સીમમાં સુરેશભાઈ કરસનભાઈ ડાભી જાતે કોળી (૩૩) નામના યુવાનની વાડી આવેલ છે અને તે વાડીના અંદર તેમણે રહેણાંક મકાન બનાવેલ છે આ રહેણાંક મકાનના મુખ્ય દરવાજાની ચાવી ત્યાં અભેરાઈ ઉપર પડેલા ડબ્બામાંથી મેળવીને દરવાજો ખોલી રૂમમાં અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તિજોરીનો લોક તોડી નાખ્યો હતો અને ટંકના તાળા અને નકુચા તોડી નાખીને તેમાંથી ૬૦૦ ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ તેમજ છ તોલા સોનાના દાગીના જેની કિંમત રૂપિયા ૯૦,૦૦૦ અને રોકડા રૂપિયા ૨૫,૦૦૦ આમ કુલ મળીને ૧,૩૫,૦૦૦ ની કિંમતના મુદ્દામાલની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા સુરેશભાઈ ડાભી દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ પી.એસ.આઇ કે. એચ. અંબારિયા ચલાવી રહ્યા છે






Latest News