મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ચિંતન ગોષ્ઠી-સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે મોરબી જિલ્લામાં ત્રીજું સંમેલન યોજાયું


SHARE











સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ચિંતન ગોષ્ઠી-સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે મોરબી જિલ્લામાં ત્રીજું સંમેલન યોજાયું

સંસ્કૃત ભારતી મોરબી જનપદ દ્વારા આયોજિત જનપદ સંસ્કૃત સંમેલન તાજેતરમાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભાણદેવજી મહારાજ (સરસ્વતી નિકેતન આશ્રમ-મોરબી), પ્રો.ડો.લલિતકુમાર પટેલ (સહપ્રાંત મંત્રી સંસ્કૃત ભારતી), ડો.કનુભાઈ કરકર (વિદ્યા ભારતી), ડો.જયન્તીભાઈ ભાડેશિયા (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ), વિઠ્ઠલભાઈ (સંસ્કૃત ભારતી ટ્રસ્ટી), ડો.પ્રણવભાઈ રાજ્યગુરુ (સહ પ્રાંત મંત્રી સંસ્કૃત ભારતી), ડો.કાંતિભાઈ કાથડ (રાજકોટ વિભાગ સંયોજક), સુનિલભાઈ પરમાર (મોરબી શિશુ મંદિર નિયામક), મયુરભાઈ શુક્લ (સંસ્કૃત ભારતી પ્રાંત ગણ સદસ્ય) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ મુખ્યત્વે ત્રણ ચરણમાં યોજવામાં આવેલું હતું.જેના પહેલા ચરણમાં સંસ્કૃત વસ્તુ પ્રદર્શની અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાહિત્ય પ્રદર્શનની, બીજા ચરણમાં સંસ્કૃત ચિંતન ગોષ્ઠી અને ત્રીજા ચરણમાં સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.

પ્રથમ ચરણમાં સંસ્કૃત વસ્તુ પ્રદર્શન હતુ જેમા ૫૦૦ થી વધુ રોજબરોજના જીવનમાં ઉપયોગી વસ્તુઓ સંસ્કૃતમાં નામ સાથે રાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સ્પોકન સંસ્કૃતના પ્રયાસ રૂપે સ્થળ ઉપર જ સંસ્કૃતના ૧૦ પાઠય બિંદુ શીખવવામાં આવતા હતા.તેમજ વિશેષ આકર્ષણ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સાહિત્યની પ્રદર્શની યોજવામાં આવેલ તે હતી. આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન ઉપસ્થિત મુખ્ય અતિથિ ડો.લલીતભાઈ પટેલ, ડો.કનુભાઈ કરકર, પ્રાંતગણ સહમંત્રી ડૉ.પ્રણવભાઈ રાજ્યગુરુ, પ્રાંત સંપર્ક પ્રમુખ વિઠ્ઠલભાઈ વાગડિયા , રાજકોટ વિભાગ સંયોજક ડૉ.કાંતિભાઈ કાથડ તેમજ શ્રી સરસ્વતી શિશુમંદિરના નિયામક સુનિલભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.જયારે બીજા ચરણમાં સંસ્કૃત વિશે ચિંતન ગોષ્ઠિ યોજાઇ હતી.તેઆ મુખ્ય વક્તા ડો.લલીતભાઈ પટેલ તેમજ ડો.કનુભાઈ કરકર દ્વારા ચિંતન ગોષ્ઠિમાં આવેલા શૈક્ષણિક સંસ્થાના સંચાલકો, સંસ્કૃત ગૌરવ પરીક્ષા કેન્દ્ર સંયોજકો, સંસ્કૃતિ શિક્ષકો તેમજ સંસ્કૃત અનુરાગીઓને સંસ્કૃત શા માટે શીખવુ જોઇએ ? સંસ્કૃત શીખવું ખરેખર સરળ છે ? સંસ્કૃતનું મહત્વ શું છે ?આ વિષય ઉપર ચિંતન અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જયારે ત્રીજા ચરણમાં સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ જેમા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા, સંસ્કૃત ગૌરવ પરીક્ષા કેન્દ્રો દ્વારા, સંસ્કૃત કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.જેમાં સંસ્કૃત નાટક, સંસ્કૃત ગરબા, સંસ્કૃત સંવાદ, સંસ્કૃત ભરતનાટ્યમ, શ્લોકની અંતાક્ષરી, અભિનયગીત, સંસ્કૃત ગીત વગેરે કૃતિઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.સમગ્ર રીતે સંસ્કૃત ભાષાના પ્રચાર, પ્રસાર, સંવર્ધન અને વિસ્તાર માટે જે જનપદ સંમેલન યોજાયું હતું.તેનો હેતુ સિદ્ધ થયો હતો. સમગ્ર મોરબી જનપદમાં સંસ્કૃતમય વાતાવરણ સર્જાયું હતું.કાર્યક્રમના અંતે મોરબી જનપદ સંયોજક કિશોરભાઈ શુક્લ અને જનપદ સહસંયોજક હિરેનભાઈ રાવલ દ્વારા તમામ મહાનુભાવો, અતિથિઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સંસ્કૃત શિક્ષકો, અભિભાવુકો તમામનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News