મોરબીના નવાડેલા રોડે એકટીવાની ડેકીમાંથી વેપારીના ૧.૬૦ લાખની ચોરી
મોરબીમાં દરિયાલાલ જન્મજયંતિએ આરતી-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન
SHARE
મોરબીમાં દરિયાલાલ જન્મજયંતિએ આરતી-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન
મોરબીમાં દરવર્ષે દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ પ્રભુ પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા. ૧૦ ના રોજ ૪૩ માં દરિયાલાલ પ્રભુના પ્રાગટય દિવસની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે આરતી, રામાયણ પ્રવચન તેમજ પ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં નગર દરવાજા પાસેની શેરીમાં આવેલ દરિયાલાલ મંદિરે દર વર્ષે દરિયાલાલ પ્રભુ પ્રાગટય દિવસની ઉજવણી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવે છે અને દરિયાલાલ જન્મ જયંતિના દિવસે વરુણ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા છે અને ત્યાર બાદ મોરબી આવેલ સાવસર પ્લોટ મેઇન રોડ, દશાશ્રીમાળી વણીક જ્ઞાતીની ભોજનશાળા ખાતે સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સર્વે ભાવિકોને લાભ લેવા આયોજકોએ જણાવ્યુ છે