મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનને માર મારીને ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ શખ્સો સામે ફરિયાદ


SHARE











વાંકાનેરમાં યુવાનને માર મારીને ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ શખ્સો સામે ફરિયાદ

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ડીલક્ષ પાનની સામેના ભાગમાં યુવાનને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને બે શખ્સો દ્વારા ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ તે યુવાનને પ્લાસ્ટિકના કેરેટ અને પથ્થર વડે શરીર ઉપર આડેધડ માર મારીને ઇજા કરી હતી આટલું જ નહીં ચા બનાવવાના લોખંડના ચમચા વડે તેને નેણના ભાગે માર મારીને ઈજા કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી શિવાજી પાર્ક શેરી નં-૩ માં રહેતા મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૩૩)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કાળુભાઈ મોગલ અને અકબરભાઈ ફકીર રહે. બંને સીટી સ્ટેશન રોડ વાંકાનેર તથા એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી કાળુભાઈ અને અકબરભાઈએ તેના ફોનમાં ફોન કરી સ્પીકર ફોન ઉપર તેને ગાળો આપી હતી અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને અકબરભાઈ તેમજ અજાણ્યા શખ્સ દ્વારા તેને પથ્થર અને પ્લાસ્ટિકના કેરેટ વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી અને અકબરભાઈએ ચા બનાવવાનો ચમચો ફરિયાદી યુવાનને નેણના ભાગે મારીને ઈજા કરેલ છે જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આગળની વધુ તપાસ વાલજીભાઈ રામજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે






Latest News