મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનને માર મારીને ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ શખ્સો સામે ફરિયાદ


SHARE







વાંકાનેરમાં યુવાનને માર મારીને ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ શખ્સો સામે ફરિયાદ

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ડીલક્ષ પાનની સામેના ભાગમાં યુવાનને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને બે શખ્સો દ્વારા ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ તે યુવાનને પ્લાસ્ટિકના કેરેટ અને પથ્થર વડે શરીર ઉપર આડેધડ માર મારીને ઇજા કરી હતી આટલું જ નહીં ચા બનાવવાના લોખંડના ચમચા વડે તેને નેણના ભાગે માર મારીને ઈજા કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી શિવાજી પાર્ક શેરી નં-૩ માં રહેતા મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૩૩)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કાળુભાઈ મોગલ અને અકબરભાઈ ફકીર રહે. બંને સીટી સ્ટેશન રોડ વાંકાનેર તથા એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી કાળુભાઈ અને અકબરભાઈએ તેના ફોનમાં ફોન કરી સ્પીકર ફોન ઉપર તેને ગાળો આપી હતી અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને અકબરભાઈ તેમજ અજાણ્યા શખ્સ દ્વારા તેને પથ્થર અને પ્લાસ્ટિકના કેરેટ વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી અને અકબરભાઈએ ચા બનાવવાનો ચમચો ફરિયાદી યુવાનને નેણના ભાગે મારીને ઈજા કરેલ છે જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આગળની વધુ તપાસ વાલજીભાઈ રામજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે






Latest News