મોરબી જીલ્લામાં સંત વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
SHARE
મોરબી જીલ્લામાં સંત વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
મોરબીમાં આવેલ સોઓરડી પાસે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી બોડીંગ ખાતે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની મિટિંગ મળી હતી આ મિટિંગમાં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૨૩ એપ્રિલ મંગળવારના રોજ સવારે ૮:૦૦ કલાકે જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડ મોરબીથી પ્રસ્થાન કરશે જે મોરબી શહેરના મુખ્ય માર્ગ પરથી વીસી ફાટક, મયુર પુલ, મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર ચોકડી, ૮ એ નેશનલ હાઇવે થઈને સૌ ઓરડી જિલ્લા પંચાયત કચેરી પાછળ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે પુર્ણાહુતિ કરશે અને ત્યાર બાદ બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કર્યું છે આ બેઠકમાં માજી ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, દેવજીભાઈ ગણેશિયા, અમિતભાઈ અગેચાણીયા, જગદીશભાઈ બાંભણિયા, તુલસીભાઈ પાટડીયા, ભરતભાઈ ગણેશિયા, દિલીપભાઈ અગેચાણીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે સંત વેલનાથ શોભાયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ પદે દિપકભાઈ સારલા અને ઉપપ્રમુખ પદે ગોપાલભાઈ સીતાપરાની વરણી કરવામાં આવેલ છે