માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના પુત્ર ડૉ.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં ૧૪ મી એ યોજાશે ફ્રી સર્વરોગ નિદાન ફ્રી સારવાર અને દવા કેમ્પ


SHARE

















પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના પુત્ર ડૉ.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં ૧૪ મી એ યોજાશે ફ્રી સર્વરોગ નિદાન ફ્રી સારવાર અને દવા કેમ્પ

મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના જયેષ્ઠ પુત્ર ડૉ.પ્રશાંત મેરજાએ આપબળે ડૉક્ટરની ડિગ્રી મેળવેલી.ઈન્ટરશીપ દરમિયાન કાર અકસ્માતમાં ૨૩ વર્ષની ભર યુવાનીમાં તા.૧૯ એપ્રિલ ૨૦૦૮ ના રોજ તેઓ પરલોક સીધાવી ગયા.ડૉ. પ્રશાંતે તેમના પરિવાર સમક્ષ એવો વિચાર મૂકેલો કે પોતે મેડિકલ પ્રેક્ટિસ કરશે ત્યારે ગરીબ દર્દીઓની મફત સારવાર કરશે.કમનશીબે તેમનુ અણધાર્યું અવસાન થતાં તેમનો વિચાર જીવંત રાખવા ડૉ.પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી ગરીબ દર્દીઓ માટે સેવાઓના જુદાજુદા પ્રકલ્પો રાખવામા આવે છે. આગામી તા. ૧૪ ને રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨ દરમિયાન ક્રિષ્ના હોલ, કંડલા બાયપાસ રોડ, વાવડી ચોકડી પાસે, મોરબી ડો.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં મફત નિદાન, સારવાર અને દવાની સુવિધા સાથે સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ છે.ફીઝીશીયન ડૉક્ટર ભાવિન ગામીના નેજા હેઠળ ડૉ.હિતેષ કણઝારીયા (જનરલ ફીઝીશીયન), ડૉ. અક્ષય જાકાસણીયા (બાળ રોગ નિષ્ણાંત, ક્રિષ્ના હોસ્પિટલ), ડૉ.યોગેશ પેથાપરા (ઓર્થોપેડિક સર્જન) ડૉ. કિશન બોપલિયા (દાંતના રોગના નિષ્ણાંત) ડૉ.ભાવેશ શેરસીયા (ચામડીના રોગના નિષ્ણાંત), ડૉ. મેહુલ પનારા (આખના સર્જન), ડૉ.તૃપ્તિ સાવરીયા (કાન, નાક, ગાળાના રોગના નિષણાંત) આ કેમ્પમાં ફ્રી સેવા આપશે. તો આ કેમ્પનો બહોળા પ્રમાણમાં ગરીબ દર્દીઓએ લાભ લેવા સન્ની મેરજ તેમજ ડૉ.ભાવિન ગામીએ અનુરોધ કર્યો છે.




Latest News