મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન યોજાશે વાંકાનેર: કાવું મારતા સમયે ડમ્પર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લીધું, એક યુવાનના પગ ઉપરથી ટાયરનો જોટો ફરી ગયો મોરબીના નીચી માંડલ પાસે મિક્સર મશીનમાંથી બકેટ રીક્ષા ઉપર પડતાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં મોરબીમાં રેલવેના બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવીને આપઘાત કરનારા યુવાનની લાશને ફાયરની ટીમે પાણીમાંથી બહાર કાઢી મોરબીમાં જલારામ જયંતિની ઉજવણીમાં ફટાકડા ફોડવાનો મામલો એસપી કચેરી પહોચ્યો: કડક કાર્યવાહીની સમાજના આગેવાનોની માંગ મોરબીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/ કર્મચારીઓએ એકતા શપથ લીધા મોરબીમાં દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણીને ધ્યાને રખને ઘુનડા રોડ ઉપર ભારે વાહનોની અવર-જવર કરાઇ બંધ મોરબીમાં જાંબુડિયા ખાતે સ્વાદ, સગવડતા સાથે પ્રતિષ્ઠિત વેન્યુ ના ત્રિવેણી સંગમ સમાન હોટલ લેમન ટ્રી પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે મચ્છુનગરમાં પત્ની-સાસુને જમાઈએ ઢીબી નાખ્યા


SHARE



























મોરબીના રફાળેશ્વર ગામે મચ્છુનગરમાં પત્ની-સાસુને જમાઈએ ઢીબી નાખ્યા

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગર વિસ્તારમાં પત્ની અને સાસુને જમાઈએ માર માર્યો હતો જેથી ઈજા પામેલા હાલતમાં બંને મહિલાઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેતા સુનિતાબેન રમેશભાઈ પરમાર (૨૬) અને કવિતાબેન લાભુભાઈ ગોહેલ (૪૫) નામના બંને મહિલાઓને માર મારવામાં આવ્યો હોવાથી તે બંનેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જેથી કરીને તેની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સુનીતાબેનના પતિ રમેશભાઈ પરમાર દ્વારા સુનીતાબેનને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના સાસુ સવિતાબેનને પણ રમેશભાઈ દ્વારા મારવામાં આવ્યો છે જેથી કરીને ઇજા પામેલા બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા

મહિલા સારવારમાં

મોરબી નજીકના રફાળેશ્વર પાસે મચ્છુનગર ખાતે રહેતા નીરૂબેન જયંતીભાઈ દેવીપુજક (૩૫) વાળાને ઘરે મારામારીમાં ઇજા થયેલ હતી જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની  મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મહેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News