મોરબીના ગોર ખીજડીયા ગામે પાણીની મોટર રીપેરતા સમયે શોર્ટ લાગતાં કૂવામાં પડી જવાથી મજૂર યુવાનનું મોત
મોરબીના રફાળેશ્વર ગામે મચ્છુનગરમાં પત્ની-સાસુને જમાઈએ ઢીબી નાખ્યા
SHARE









મોરબીના રફાળેશ્વર ગામે મચ્છુનગરમાં પત્ની-સાસુને જમાઈએ ઢીબી નાખ્યા
મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગર વિસ્તારમાં પત્ની અને સાસુને જમાઈએ માર માર્યો હતો જેથી ઈજા પામેલા હાલતમાં બંને મહિલાઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેતા સુનિતાબેન રમેશભાઈ પરમાર (૨૬) અને કવિતાબેન લાભુભાઈ ગોહેલ (૪૫) નામના બંને મહિલાઓને માર મારવામાં આવ્યો હોવાથી તે બંનેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જેથી કરીને તેની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સુનીતાબેનના પતિ રમેશભાઈ પરમાર દ્વારા સુનીતાબેનને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના સાસુ સવિતાબેનને પણ રમેશભાઈ દ્વારા મારવામાં આવ્યો છે જેથી કરીને ઇજા પામેલા બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા
મહિલા સારવારમાં
મોરબી નજીકના રફાળેશ્વર પાસે મચ્છુનગર ખાતે રહેતા નીરૂબેન જયંતીભાઈ દેવીપુજક (૩૫) વાળાને ઘરે મારામારીમાં ઇજા થયેલ હતી જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મહેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે
