વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : જગતતાતને કનડતો ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ


SHARE











મોરબી : જગતતાતને કનડતો ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ

હાલમાં ખેડૂતો એટલે કે જગતનાતાતને કનડતા ખાતરના ભાવોમાં કમરતોળ ભાવ વધારાને લઇને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્રારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખીતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

હાલમાં ખેડૂતો પહેલા અનાવૃષ્ટિ અને પછી અતિવૃષ્ટિનો ભોગ બનેલ છે.ત્યારે સરકાર તરફથી તેઓને યોગ્ય વળતર ચુકવવામાં આવેલ નથી અને ઉપરથી ખેડૂતોને જાણે કે મરવા માટે મજબુર કરવા હોય તેવી રીતે ખાતરના ભાવમાં પણ અસહ્ય વધારો કરવામાં આવેલ છે.ખાતરનો આ ભાવ વધારો ખેડૂતોના મૃત્યઘંટ સમાન સાબિત થશે.ખેડૂતો એક તો હેરાન છે અને ઉપરથી આ વધારો ખેડૂતોને વધારે પરેશાન કરનાર સાબિત થશે. ખેડૂતો પાયમાલ થઇ જશે અને સામાન્ય નાગરીકોને પણ અનાજ, શાકભાજી વગેરેમાં ભાવ વધારાનો સામનો કરવો પડશે.એક તો સામાન્ય લોકો પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવવધારાથી પરેશાન છે અને હવે અનાજ તેમજ શાકભાજીના ભાવ વધારાનો ભોગ બનશે.આમ તો ચોમેર મોઘવારીએ મજા મૂકી છે. ગરીબ તેમજ સામાન્ય લોકોને જીવન નિર્વાહ કરવું કઠીન બની ગયું છે.તેવામાં આ વધારો યોગ્ય નથી.માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરેલ છે કે આ ખાતરનો ભાવ વધારો પાછો ખેચવામાં આવે અને જો આવું કરવામાં નહી આવે તો ખેડૂતોને સાથે રાખીને લોકહીત કાજે છુટકે જલદ આંદોલન કરવાની ફરજ પડશે. 






Latest News