મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી : જગતતાતને કનડતો ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ


SHARE







મોરબી : જગતતાતને કનડતો ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ

હાલમાં ખેડૂતો એટલે કે જગતનાતાતને કનડતા ખાતરના ભાવોમાં કમરતોળ ભાવ વધારાને લઇને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્રારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખીતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

હાલમાં ખેડૂતો પહેલા અનાવૃષ્ટિ અને પછી અતિવૃષ્ટિનો ભોગ બનેલ છે.ત્યારે સરકાર તરફથી તેઓને યોગ્ય વળતર ચુકવવામાં આવેલ નથી અને ઉપરથી ખેડૂતોને જાણે કે મરવા માટે મજબુર કરવા હોય તેવી રીતે ખાતરના ભાવમાં પણ અસહ્ય વધારો કરવામાં આવેલ છે.ખાતરનો આ ભાવ વધારો ખેડૂતોના મૃત્યઘંટ સમાન સાબિત થશે.ખેડૂતો એક તો હેરાન છે અને ઉપરથી આ વધારો ખેડૂતોને વધારે પરેશાન કરનાર સાબિત થશે. ખેડૂતો પાયમાલ થઇ જશે અને સામાન્ય નાગરીકોને પણ અનાજ, શાકભાજી વગેરેમાં ભાવ વધારાનો સામનો કરવો પડશે.એક તો સામાન્ય લોકો પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવવધારાથી પરેશાન છે અને હવે અનાજ તેમજ શાકભાજીના ભાવ વધારાનો ભોગ બનશે.આમ તો ચોમેર મોઘવારીએ મજા મૂકી છે. ગરીબ તેમજ સામાન્ય લોકોને જીવન નિર્વાહ કરવું કઠીન બની ગયું છે.તેવામાં આ વધારો યોગ્ય નથી.માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરેલ છે કે આ ખાતરનો ભાવ વધારો પાછો ખેચવામાં આવે અને જો આવું કરવામાં નહી આવે તો ખેડૂતોને સાથે રાખીને લોકહીત કાજે છુટકે જલદ આંદોલન કરવાની ફરજ પડશે. 






Latest News