મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

માળીયા(મી)થી સૂરજબારી સુધી સી.સી.ટીવી કેમેરાની બેટરીઓ-ઇન્વેટરો ચોરી કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE











માળીયા(મી)થી સૂરજબારી સુધી સી.સી.ટીવી કેમેરાની બેટરીઓ-ઇન્વેટરો ચોરી કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબી કચ્છ નેશનલ હાઇવે પરના લોકોની સલામતી માટે સી.સી.ટીવી મૂકવામાં આવેલ છે જો કે, આ કેમેરાની બેટરીઓ તથા ઇન્વેટરોની ચોરી કરતી ગેંગને માળીયા(મી) પોલીસે પકડી હતી અને બે શખ્સોને ચોરાઉ બેટરીઓ તથા ઇન્વેટરો તેમજ કાર સાથે પકડાયા હતા જે બનાવમાં હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

માળીયા તાલુકા પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા તેની ટિમે હરિપર ગામના પાટીયા પાસેથી પસાર થતી આઈ -૨૦ કાર નંબર જીજે ૩ ઇસી ૪૭૨૨ શંકમંદ હાલતમાં મળી હતી અને ગાડીની તપાસ કરતા બે ઇસમો તથા ગાડીમાંથી ૨૦ બેટરીઓ તથા ૧૦ ઇન્વેટર સાથે મળી આવ્યા હતા જેથી તેના બિલ કે આધાર પુરાવા માંગ્યા હતા અને મુદામાલને સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરીને ઉપેન્દ્રભાઇ મુરજીભાઇ સુથાર જાતે સુથાર (ઉ.૩૪) રહે. શીકારપુર પટેલવાસ ભચાઉ જિલ્લો કચ્છ અને ઉમરદીનભાઇ અવેશભાઇ જીએજા જાતે મુસ્લીમ (ઉ.૩૨) રહે. શીકારપુર રબારીવાસ ભચાઉ જીલ્લો કચ્છ વાળાની અટક કરી હતી અને આ શ્ખ્સોએ નેશનલ હાઇવે રોડ પર રહેલ સી.સી.ટી.વી કેમેરામાં લાગેલ બેટરીઓ તથા ઇન્વેટરોની રાત્રીના સમયે અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલાની કબુલાત આપેલ હતી જેથી સુરજબારી નેશનલ હાઇવે ટોલટેકસના મેનેજરને જાણ કરી હતી અને તેઓને બોલાવી પુછતા નેશનલ હાલવે રોડ પર અલગ અલગ જગ્યાએ સી.સી.ટી.વી કેમેરાની બેટરીઓ તથા ઇન્વેટરોની ચોરીઓ થયેલાનુ સામે આવ્યું હતું અને હાલમાં બનાવમાં ઉતમસિંઘ છોટેલાલસિંઘ રાજપુત (ઉ.૪૫) રહે. સામખાયાળી ઓમ બગ્લોઝ સોસાયટી વાળાની ફરિયાદ લેવામાં આવી છે અને આરોપીઓએ ૨૦ બેટરીઓ તથા ૧૦ ઇન્વેટર જેની કિંમત ૨.૮૮ લાખના મુદામાલની ચોરી કરી હોવાનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News